SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ભવ્યત્વ એટલે વિશિષ્ટ ભવ્યત્વ; તે તે ભવ્ય જીવની મોક્ષ પામવાની વૈક્તિક ગ્યતા. ભવ્યત્વથી તથાભવ્યત્વને જુદું કહેવાનું કારણ એ છે, કે સામાન્યથી સર્વ ભામાં ભવ્યત્વ સ્વભાવ સરખો હોવા છતાં મુક્તિ એક સરખી રીતિએ થતી. નથી, કિન્તુ જુદા જુદા કાળે, જુદી જુદી સામગ્રી પામીને ભિન્ન ભિન્ન રીતે ધર્મબીજની પ્રાપ્તિ થઈને, બીજની ઉપર અંકુરાદિની ફળ પયતના વિકાસની જેમ, મોક્ષ પર્યરતના વિકાસથી થાય છે. એ બધી વિચિત્રતા વસ્તુના સ્વભાવની (ભવ્યત્વની વિચિત્રતા વિના ન બની શકે. જુદી જુદી વ્યક્તિઓનું આ જુદું જુદું ભવ્યત્વ એ જ તે તે વ્યક્તિનું તથાભવ્યત્વ, આ તથાભવ્યત્વ એ સાધ્યવ્યાધિ જેવું છે. રોગ અસાધ્ય હોય તે નાઈલાજ. પણ સાધ્ય હોય તો સાધનોથી એ રોગ પકવીને, અંતે આરોગ્ય થયેથી, રાગ અંત પામે છે. તેમાં તથા– ભવ્યત્વ પણ ઉપાણી પાકી શકે છે, અને અંતે ભાવઆરોગ્ય જે મેક્ષ, તે પ્રાપ્ત થતાં તથાભવ્યત્વ અંત પામે છે. આ કથાભવ્યત્વના પરિપાક માટે સાધને બતાવે છે. “તસ્સ પણ...* તથાભવ્યત્વ પકવવાનાં સાધન : (૧) તથાભવ્યત્વને વિપાક(પરિપાક) કરવાના સાધન ત્રણ છે. પહેલું સાધન શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મનું સાચું શરણ સ્વીકારવું તે, રોગમાં વૈદ્યની જેમ, એક માત્ર રક્ષણ સ્વીકારવું, તે. જગતનાં બીજાં શરણ એ ઉપચારથી શરણાં. છે, અર્થાત્ કહેવાતા શરણાં છે, કેમકે તે સ્વીકાર્યા પછી કર્મ. સામે ખરું રક્ષણ મળતું નથી. હંમેશની આપત્તિ ટળતી નથી, એટલે. ફરી ફરી તે શરણાની અપેક્ષા રહે છે, વળી તેમા થાપ ખાવાને સંભવ છે, ને પરિણામે તો અવશ્ય નિરાધાર અને દુખદ સ્થિતિ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy