SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ જિતશત્રુ રાજા અને વિજયી રાણીના પુત્ર, અંગદેશના રાજા, ચારસો પચાસ ધનુષ્ય પ્રમાણુવાળા, ગૌરવર્ણવાળા અને હાથી લંછનની પ્રગટિત શ્રી અજિતનાથ પ્રભુ છે. જિતારી રાજા અને સેનાદેવીના પુત્ર, ચાલ્યો ગયો છે માન જેમને, ઘડો જેમનું લાંછન છે, ચારસો ધનુષ્ય પ્રમાણુવાળા, ભવરૂપી ભયને હરણ કરેલ છે જેમણે, એવા શ્રી સંભવનાથ પ્રભુ છે. સંવર રાજા અને સિદ્ધસ્થા દેવીના નંદન, વાનરલછનવાળા ૩૫૦ ધનુષ્ય પ્રમાણવાળા, જ્ઞાનમાં નિમલ એવા અભિનંદન પ્રભુ છે. મેઘરથ રાજા અને મંગલા રાણીના મનને આનંદ પમાડનારા, કૌંચ પક્ષીથી યુક્ત, ત્રણસે ઘનુષ્ય દેહ પ્રમાણુવાળા, શ્રી સુમતિનાથ સ્વામીની સ્તુતિ નિત્ય આનંદ આનંદ આપનારી છે. ઘર રાજા અને સુસીમા રાણીના પુત્ર, કમલ લંછનવાળા, રાતા વર્ણવાળા, અઢીસો ધનુષ્ય પ્રમાણુવાળા શ્રી પવપ્રભ ભગવાન લક્ષમીના સ્થાનરૂપ છે. સુપ્રતિષ્ઠિત રાજા અને પૃથ્વી માતાના પુત્ર સ્વસ્તિકના લાંછનવાળા, બસે ધનુષ્ય પ્રમાણુવાળા, મેક્ષમાં વસનાશ, એવા મિક્ષ પંથના સાર્થવાહ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ છે. મહાસેન રાજા અને લક્ષમણ રાણીના પુત્ર હસે ઘનુષ્ય પ્રમાણવાળા, ચંદુથી જે ઓળખાય છે (ચંદ્રના લાંજનવાળા) એવા શ્રી ચંદ્રપ્રભુ છે. સુગ્રીવ રાજા અને રામા રાણીના કુળમાં વિશુદ્ધ (રત્ન), એક ધનુષ્યના પ્રમાણુવાળા, મગરમચ્છ લાંછનવાળા, સુવિહત લોકોને આનંદ આપનારા શ્રી સુવિધિનાથ પ્રભુ છે. દઢરથ રાજા અને નકારવીના પુત્ર, શ્રી વત્સના લાંછનવાળા નેવું ધનુષ્ય પ્રમાણુવાળા, નરેન્દ્રો અને દેવેન્દ્રોથી વણિત શ્રી શીતલનાથ પ્રભુ છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy