SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધર્મ-શ્રદ્ધા મીમાંસકે પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય-એમ ત્રણ આકારવાળા જ્ઞાનને એક જ જ્ઞાન તરીકે મંજૂર રાખે છે. ભટ્ટ અને સુરારિ વસ્તુ માત્રને જતિ રૂપે પણ ઓળખાવે છે અને વ્યક્તિ રૂપે પણ ઓળખાવે છે. બ્રહ્મવાદીઓ એક જ આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માને છે. એમ કરીને સી કેઈને સ્યાદ્વાદ-ચક્રવતીની આજ્ઞાને સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યા સિવાય ચાલતું નથી, પ્રશ૦ સપ્તભંગી એટલે શું? ઉત્તર વસ્તુના પ્રત્યેક ધર્મને લગતી સ્વાદુવાદની વિવેચનાને “સપ્તભંગી' કહેવામા આવે છે. સાત વચનપ્રકારોને સમૂહ, તેનું નામ સપ્તભંગી છે. શબ્દ યા વાકયનું કામ અને બંધ કરાવવાનું હોય છે. વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જ્ઞાન તે પ્રમાણુ અને તેને જણાવનારું વાકય તે “પ્રમાણુવાકય. વસ્તુના અમુક અંશનું જ્ઞાન તે “નય અને તેને જણાવનારું વાકય તે “નયવાકય. આ પ્રમાણુવાક અને નયવાકાને સાત વિભાગમાં વહેંચવા, એ સપ્તભંગી છે. વસ્તુના પ્રત્યેક ધર્મની વિવેચના સાત પ્રકારે જ થઈ શકે છે, તેથી ઓછા કે અધિક પ્રકારે નહિ. ઘટરૂપ પદાર્થમાં એક નિત્ય-અનિત્ય ધમની વિચારણા કરીએ. ત્યારે તે સંબંધમાં નીચે પ્રમાણે વ્યવહાર થઈ શકે છે.
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy