SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સુખઅધિક કે દુઃખ ? બળદગાડીના પ્રવાસના મુકાબલે હાલની આગગાડીને પ્રવાસ ઘણું જ સુખકારક હોવા છતાં, તે સુખ ભૂલી જઈને આજે કેઈક દિવસ રેલગાડી મેડી થઈ જાય અગર ટપાલમાં પત્ર આવતા જરા વિલંબ થઈ જાય, તે માણસ દુઃખને જ અનુભવ કરે છે. ઉપલબ્ધ થયેલાં સુખનાં સાધને જમે નહિ કરતાં મનુષ્ય પોતાના સુખ દુઃખનો વિચાર વર્તમાનની નવી નવી ગરજેને ઉદ્દેશીને જ કરે છે અને તેથી ગરજેને કેઈ અન્ન નહિ હોવાથી, તે પિતાની જાતને સુખી માનવાના બદલે હંમેશાં દુઃખમાં જ ડૂબેલી માને છે. આજ એક ઈચ્છા સફળ થઈ એટલે આવતી કાલે તેની જગ્યાએ નવી ઈચ્છા ઉત્પન્ન થવાની જ અને તે નવી ઈચ્છા પણ પાછી જ્યાં સુધી સફળ ન થાય, ત્યાં સુધી ચિત્ત તેમાં જ પરવાચેલું રહેવાનું. ઈરછાની આ દેહાદેડ જ્યાં સુધી થતી રહેવાની, ત્યાં સુધી મનુષ્યના નસીબમાં દુઃખથી છુટવાનું સીલક રહેતું જ નથી. એ જ વાતને સમજાવતાં શાસ્ત્રકારે કહે છે કે" न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवमेव भूय एवाभिवर्धते ||१||" કામ્ય પદાર્થોના ઉપભોગથી કામ કદી શમત નથી. ઉલટું હેમેલાં દ્રવ્યોથી જેમ અગ્નિ વધે છે, તેમ ઉપભેગથી કામ ફરી ફરીને વધતે જ જાય છે. (૧) સુખનાં સાધન ગમે તેટલાં વિપુલ હોય તે પણ ઈન્દ્રિયોની લાલસા સતત વધતી જ ચાલે છે. તેથી કેવળ
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy