SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-શ્રદ્ધા નિઓમાં મનુષ્યનિએ શ્રેષ્ઠ છે. મનુષ્યમાં પણ મુમુક્ષુ અને મુમુક્ષુઓમાં પણ સિદ્ધ, સર્વથી શ્રેષ્ઠ છે.” મનુષ્ય આત્મહત્યા કરતા નથી, એ ઉપરથી “સંસાર આધિભૌતિક સુખમય છે એવું અનુમાન કાઢવું વ્યાજબી નથી, એ સિદ્ધ થયા પછી સંસાર સુખમય છે કે દુઃખમય એ પ્રશ્નને વિશેષ નિર્ણય કરવા માટે નરેદેહ મળ્યા પછી પણ મનુષ્યની થતી દશાને વિચાર કરવો આવશ્યક બને છે. મનુષ્યને કે કઈ પણ પ્રાણીને જીવવાની બુદ્ધિ. સ્વાભાવિક છે, પણ તે સંસારના સુખદુખના તારતમ્યથી ઉત્પન્ન થયેલી નથી. એથી આધિભૌતિક-મત-વાદિઓને “સંસાર સુખમય છે–એ જાતિને મત આપોઆપ પાંગળ બની જાય છે. પરન્તુ તે ઉપરાન્ત બીજી પણ એક વાત છે કેમનુષ્યને ગમે તેટલું આધિભૌતિક સુખ મળે છે તે પણ તે સદાય અસંતુષ્ટ જ રહ્યા કરે છે, તેથી પણ એમ સમજાય છે કે–તેના સુખના પાસા કરતા દુઃખનું પાસું હંમેશાં નમેલું જ રહે છે. કારણ એમ છે કે મનુષ્યને જે વસ્તુઓ (નરદેહાદિ પ્રાપ્ત થઈ ચૂકી હોય છે, તેના ઉપર તેની દષ્ટિ રહેતી નથી, પરંતુ જે જે નવી વસ્તુએની ગરજ ઉત્પન્ન થતી જાય છે અને તેમાં તેને જેટલી સફળતા મળતી જાય છે, તેટલે તેને આનંદ થતું જાય છે, અને જેટલી સફળતા નથી મળતી. તે જોઈને તે હરખી જ રહ્યા કરે છે.
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy