SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ હવે પિતાની રવિકાંતા સ્ત્રીએ પ્રથમ નરસિંહરાજાની સ્ત્રીને કહ્યું હતું કે મારે જે કન્યા પ્રગટ થશે તે હું તમારા સુરસેન પુત્રને આપીશ, તો તે પ્રમાણે વાગુદાનથી તથા પ્રીતિથી બંધાયેલી હોવાથી તે જ્યવેગ વિદ્યાધર શોભાયમાન ધારણ કર્યા છે કેયૂર કુંડલ અને કર્યો જેણે એવા કેટલાક વિદ્યાધરોને સાથે લઈને પિતાની સુકતાવલી નામે કન્યાને સુરસેન કુમાર સાથે પરણાવવા માટે આકાશ માર્ગે ચાલ્યું, તેથી આકાશ સર્વ વિમાનોથી આચ્છાદિત થઈ ગયું અને અનુક્રમે તે મિથિલા નગરીમાં આવ્યો નરસિહ રાજાએ પણ પિતાના પુત્રની સાથે પરણાવવા માટે સૈન્ય સહિત આવેલા તે જગ વિદ્યાધરને મોટા ઉતારા આપ્યા અને પિતાની મિથિલા નામે નગરીને પણ શણગારી દીધી. તેથી જાણે તે સ્વર્ગપુરીજ હેય નહિં? તેવી શોભવા લાગી. તે વખતે એ ગામમાં જે વાણિયાઓ રહેતા હતા, તેઓએ પિતાની હાટો શણગારી અને નતંકીઓ નાચવા લાગી, ગાયકો ગાવા લાગ્યા, વિવિધ પ્રકારના વાદ્યો વાગવા લાગ્યા. ભૂચરી અને ખેચરી ગાવા લાગી. આ પ્રમાણે તે નગરમાં મેટે મહોત્સવ થવા લાગ્યો અને ત્યા લગ્નમંડપ પણ સુશોભિત બનાવ્યું. હવે તેમ કરતા જ્યારે લગ્ન સમય આવ્યો, ત્યારે મેટી દ્ધિના વિસ્તારે કરી પિતાની મુક્તાવલી કન્યાને વિવાડ જગવિદ્યારે સુરસેન કુમાર સાથે કર્યો. તેના પાણગ્રણ વખતે એટલે કન્યાદાનના સમયમાં કોટિ સુવર્ણ અને કે2િ રત્નો આપ્યા. એવી રીતે પ્રાણ સમાન વલ્લભ એવી પિતાની કન્યાને પરણાવી પિતાની સ્ત્રીથી સહિત તે વિધાધર, અત્યંત પ્રસન્ન થઈ પિતાના નગર પ્રત્યે આવ્યો. સુરસેન કુમારે પણ પૂર્વજન્મના પ્રેમથી મુક્તાવલી નામે પત્નીને તેના માતા પિતાથી જુદા પડવાના દુખથી દુખિત થયેલી જાણીને ગીત, નૃત્ય, અનેક કલાઓના વિજ્ઞાનેથી તેને દુખથી મુક્ત કરી. હવે એક દિવસ મુક્તાવલીએ સુરસેન કુમારને કહ્યું કે હે સ્વામિનાથ ! મારા મનના વિદને માટે કાંઈક નવીન પ્રશ્નો પૂછે ? તે સાભળી કુમાર કહે છે કે ઠીક લ્યો, હું પ્રશ્ન કરૂં કિ વિશ્વજીવન પ્રેત, સામર્ચે ચાસ્તિ કિં પદ છે ઉપમાન કિમત્રાસ્તિ, કાંતે કિં તે મુખસ્ય ચ ો ૧ છે અર્થ • વિશ્વનું જીવન કેને કહેલું છે? સામર્થ્યને વિષે પૂર્ણવાચક પદ કોને કહે છે? અને હે કાતે ! તમારા મુખનું ઉપમાન કયું છે ? એ ત્રણેના ઉતર મને એવી રીતે આપ કે તે ત્રણેના પ્રત્યુતરના પદમાં છેલ્લે અક્ષર લકાર આવે ? તે સાભળી મુક્તાવલી બેલી કે સ્વામીનાથ ! સાંભળો. પ્રથમ પ્રશ્નને ઉત્તર તે જવએટલે જલ, અર્થાત એ જલથી જગતના જી જીવે છે તે જલપદમાં આપના પૂછવા મુજબ છેલ્લે અક્ષર લકાર જ આવેલો છેહવે બીજા પ્રશ્નના ઉત્તરમા અલં એટલે પરિપુર્ણ, અર્થાત્ ત્યાં કઈ બાકી સામર્થ્ય રહ્યું નહિ. અને અલ એ પદમાં પણ આપના પુછવા મુજબ લે અક્ષર કારજ આવેલ છે. વળી ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં કહું છું કે “કમલ” એટલે કમલ અર્થાત મારા મુખને કમવની ઊપમા દેવાય છે. તે કમલપદમાં પણ આપના પુછવા મુજબ છેલ્લે અક્ષર કારજ આવે છે. આ પ્રમાણે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy