SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ પદ ૪૬૨ આનંદલનમાં પદે. કે વિશુદ્ધ કે અશુદ્ધ કાર્ય પ્રથમ તે વિચારદશામાં માનસિક પરાવર્તમાં જ હોય છે. કેઈપણ કાર્ય કરવા પહેલાં તેને વિચાર થાય છે, સુંદર મહેલ બાંધવા પહેલાં જેમ પ્રવીણ ઈજનેર નકશે કરે છે અને તેની પહેલાં પણ મનમાં ભવિષ્યમાં કરવાના મહેલની આકૃતિ ખડી કરે છે તેમ અમુક કાર્ય કરવા પહેલાં મનમાં તેનું ચિત્ર ખડું થાય છે, કેટલેક કાળ તેના ગુણદોષપર વિચાર ચાલે છે અને વિચાર થતાં થતાં વચન દ્વારા તેને સ્પષ્ટ ઉચ્ચાર થાય છે અને છેવટે તે વ્યવહરૂ રીતે અમલમાં મૂકાય છે આ કાર્યક્રમ સ્વાભાવિક છે. વાત માત્ર એટલી જ છે કે કેટલીક વ્યક્તિઓ વિચારકાળમાં બહુ વખત કાઢી નાખે છે અને એકદર ક્રિયાને અને પ્રગતિ ઓછી કરે છે. વિચારકાળ પણ બહુ સુંદર છે અને તદ્દન અવ્યવસ્થિત સ્થિતિને બદલે સુંદર માર્ગદર્શક છે, પણ તેમાં પરિપૂર્ણતા માની બેસવાની નથી. વિચારકાળ જેમ બને તેમ ટુંક કરી અને તે ટુંકા કાળમાં પણ ચગ્ય વિચારની તુલના કરી વ્યવહારૂ રીતે ક્રિયાકાળમાં-વર્તનમાં આવી જવાની બહુ જરૂર છે. અહીં ચેતનજી ઘણા ખુલલા શબ્દમાં સ્વીકારે છે કે ત્યારે હું મારું પદ સંભારીશ, મારી સ્થિતિને ખ્યાલ કરીશ ત્યારે તારે પ્રસંગ જરૂર કરીશ, સાથે તે બોલે છે કે અત્યારે હું જેને પ્રસંગ કરું છું તે સુવર્ણ નથી, પીતળ છે, આટલું જાણવા છતાં મુદત લિંબાવે છે એ અગ્ય છે અને તે તેનું સદાધિકારીપણું બતાવે છે. પ્રગતિ કરવા માડ્યા પછી તે સાધ્યપ્રાપ્તિ બે ઘડીમાં થઈ શકે અને અર્ધ પુદગલ ધરાવતે એટલે કાળ પણ સંસારમાં રહેવું પડે. ઉત્તમધિકારીનું કાર્ય એ છે કે વિશુદ્ધ માર્ગના સ્પષ્ટ બાય પછી કાળસ્થિતિના કે એવા વિચિત્ર કાલ્પનિક ખ્યાલ ઊભા કરી પિતાની પ્રગતિ અટકાવી દેવી નહિ. યેગમાર્ગ પર જ્યારે પ્રેમ આવે છે ત્યારે પિતાનું પદ સાંભરે છે, સાધ્યનું ભાન થાય છે અને તેનાપર ધ્યાન દેવાય છે. એ માર્ગ આદરવાથી સુમતિને મેળાપ થાય એમાં કઈનવાઈ જેવું નથી. ચેતનજી તેટલા માટે જે ઉપર કહે છે તેને ભાવ એ છે કે જ્યારે હું એગમાર્ગ આદરીશ ત્યારે મારે તારે પ્રસંગ થશે. એગમાર્ગ તેનાં અને સાથે આદરવામાં આવે ત્યારે એવી મજા આવે છે કે પછી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy