SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખડ (૧) સદસત્ત્વવાદ, (૨) નિત્યાનિત્યત્વવાદ, (૩) સામાન્યવિશેષત્વવાદ, (૪) અભિલાપ્પાનભિલાપ્યવાદ અને (૫) મેાક્ષવાદ. પ્રારભમા અજૈનાના આ વિષયોને અ ંગેના વિચારેા રજૂ કરાયા છે. એનું ખંડન આ કૃતિના માટા ભાગ રોકે છે. } Fe : અજ.પ. જેવા દુર્ગમ મનાતા ગ્રંથનું સાધારણ બુદ્ધિ ધરાવનારી વ્યક્તિ સુગમતાથી અધ્યયન કરી શકે એ આશયથી આ કૃતિ રચાઈ લાગે છે. આ કૃતિ અજપ ના સક્ષેપરૂપ જણાય છે. એમાં ચેાગાચાર 'નેા અધિકાર નથી કે જે અ.જ.પ.મા છે. અ,જપના વિવિધ શબ્દો કેટલી યે વાર આ અનેકાન્તવાદપ્રવેશમા નજરે પડે છે. આને અન્ય રીતે પણ વિચાર થઈ શકે. અનેકાન્તવાદ જેવા મહત્ત્વના વિષયના પ્રાથમિક અભ્યાસ કરવા માટેની પ્રવેશિકા તે અનેકાન્તવાદપ્રવેશ છે. અનેા અભ્યાસ કરાયા બાદ અજપનું અધ્યયન સરળ અને. ષટ્ટ નસમુચ્ચય (શ્લેા. ૫૮ )ની ટીકા નામે તર્ક રહસ્યદીપિકા ( પત્ર ૧૦૭ )મા ગુણરત્નસૂરિએ જે અનેકાન્તપ્રવેશના ઉલ્લેખ કર્યાં છે તે જ આ અનેકાન્તવાદપ્રવેશ હોવા જોઈએ અને છે એમ ભાસે છે. આને જ કેટલાક અનેકાન્તવાદપ્રવેશક કહે છે. આ નામ દિફ્નાગકૃત ન્યાયપ્રવેશકનુ સ્મરણ કરાવે છે ટિપ્પણ≤અનેકાન્તવાદપ્રવેશ ઉપર કોઇકનુ સંસ્કૃતમા ટિપ્પણક છે અને એ ૧મુદ્રિત છે. ભાષાંતર અનેકાન્તવાદપ્રવેશનુ ગુજરાતી ભાષાંતર સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ઇ. સ. ૧૮૯૮મા તૈયાર કર્યું હતું. ૧ જુએ પૃ. ૧, ટિ ૨ ૨ આ ભાષાંતર વડોદરાના કેળવણીખાતા તરફથી ઈ. સ. ૧૮૯૯મા છપાવાયુ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy