SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ૨૩૩ આ મતવાદીઓ ભગવાનને “બુદ્ધ” કે “બોધક”માનવા તૈયાર નથી. પ્રત્યાત્મપ્રધાનવાદ–સત્વ, રજસ અને તમસ એ ત્રણની સામ્યવસ્થાને “પ્રકૃતિ” યાને “પ્રધાન” કહે છે. આત્મદીઠ આ પ્રધાનનું અરિતત્વ છે એમ આ વાદને અર્થ છે. એના પુરસ્કર્તા મૌલિક સાખે છે. ઉત્તરકાલીન સાખેને મતે તે પ્રકૃતિ અનેક નથી પરંતુ સર્વ આત્માને લક્ષીને એક અને નિત્ય છે. જેનોને મતે આત્માદીઠ કર્મ છે મૌલિક સાખ્ય આત્માને “અકર્તા” માને છે. આ સંબંધમાં લવિ. (પત્ર ૧૬૪)માં નીચે પ્રમાણેનું અવતરણ છે – “માઁssન્મા”. આ સાખેના મતે ભગવાન “આદિકર' અર્થાત મૃતધર્મના કર્તા નથી, બુદ્ધિગજ્ઞાનવાદ–આ વાદને અર્થ એ છે કે આત્માને બુદ્ધિના યોગ વડે જ્ઞાન થાય છે. આ માન્યતા કપિલેની અર્થાત સાની છે. એમના કથન મુજબ બુદ્ધિ વડે અધ્યવસિત યાને ગ્રહણ કરાયેલા શબ્દાદિ વિષયને–અર્થને પુરુષ યાને આત્મા જાણે છે. આ સંબંધમાં લવિ. (પત્ર ૬૧૮)માં નિમ્નલિખિત અવતરણ છે – યુદ્ધચરિતમર્થ પુષક્ષેત?”. આ સાખ્યોના મતે ભગવાનને “સર્વજ્ઞ” કે “સર્વદર્શી” ન કહી શકાય સદાશિવવાદ–મહેશની કૃપાથી બધ અને નિયમની પ્રાપ્તિ થાય છે અથવા બેધને નિયમ પ્રવર્તે છે એમ આ વાદને અર્થ છે. સદાશિવની આ માન્યતા છે. એમના આગમમાં નિષ્કારણ અનુગ્રહ
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy