SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩૦૫ નામનું રામાયણ રચ્યું છે. આ પ્રથમ મલ્લવાદીની કૃતિ છે કે બીજાની એ નક્કી કરવાનું સાધન જણાતું નથી. એ ગમે તે હો; હજી સુધી તે આ કૃતિ કોઈ સ્થળેથી મળી આવી નથી. કહાવલીમા જેમનો વૃત્તાંત જોવાય છે અને જેમને વિષે હેમચન્દ્રસ રિએ સિદ્ધહેમચન્દ્ર (૨-૨-૩૯)ની સ્વપન ટીકામાં “સનું માનિ તાવિ:” કહ્યું છે એઓ જ અત્રે પ્રસ્તુત છે એ વાદીઓમાં મલ્લ” જેવા હોવાથી એમનું “મલવાદી” નામ યથાર્થ છે. સિદ્ધસેન દિવાકર સાથે સંબંધ–સન્મતિ પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૬૮)માં મલવાદી અને સિદ્ધસેન દિવાકરના સમય અને સંબંધ વિષે નીચે મુજબ ઉલ્લેખ છે – સિદ્ધસેન અને મલવાદી બને સમકાલીન જ હશે અને એક બીજાના ગથ ઉપર તેમની જ વિદ્યમાનતામાં ટીકા રચી હશે. કદાચ બને વચ્ચે બીજો કઈ સબંધ ન હોય તો છેવટે વિદ્યાવિષયક ગુરુશિષ્યભાવસંબધ પણ હાચ ” (૨૦) ગાચાર્ય એ સ(લે. ૧૪, ૧૯, ૨૨, ૨૫ અને ૩૫)ની પટીકામા એમને વિષે ઉલ્લેખ છે. એઓ જૈન આચાર્ય હોય એમ જણાય છે. એમણે યોગની આઠ દૃષ્ટિ સ બ ધી કે યોગની આના જેવી કોઈ બાબતનું નિરૂપણ કર્યું હશે એમ ભાસે છે. લવિ. (પત્ર ૭૬)માં “યોગાચાર્યા ”એ જે ઉલ્લેખ છે તેથી કોણ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. (૨૮) વસુ ધમબિન્દુ (અ. ૪, સૂ. ૧૬)માં હરિભદ્રસૂરિએ એમને વિષે ઉલેખ કર્યો છે. આ અજૈન વ્યક્તિને દીક્ષા કોને કણ આપી શકે ૧ જુઓ પત્ર પા, ૭૫, ૭, ૮ અને ૧૦ હું ૨૦
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy