SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ २७० હરિભદ્રસૂરિ [[ ઉત્તરે ખંડ પંજિકા–પાર્ષદેવગણિ આગળ ઉપર “સૂરિ ” બનતા શ્રીચન્દ્રસૂરિને નામે પ્રસિદ્ધિ પામ્યા એમણે શિષ્યહિતા ઉપર વિ. સ. ૧૧૬૯માં સંસ્કૃતમા પંજિકા રચી છે મહાનિસીહને ઉદ્ધાર પ્રચવ (પ્ર. ૯, ૨૧૯) પ્રમાણે મહાનિસીહને ઉદ્ધાર હરિભસૂરિએ કર્યો હતે અહીં મહાનિસીહને “જૈન ઉપનિષ” કહેલું છે. મહાનિસીહમા કહ્યુ છે કે હરિભદ્રસૂરિએ પિતાની મતિને આધારે આ ગ્રંથ લખ્યો.૨ જિનપ્રભસૂરિએ વિવિધતીથકલપમા મથુરાપુરાકલ્પ” (પૃ. ૧૯)માં કહ્યું છે કે મહાનિસીહના જે પાના ઉધઈ વડે ખવાઈ ગયા હતા તે પક્ષખમણ એટલે કે પંદર ઉપવાસ દ્વારા દેવતાનું આરાધન કરી જિનભદ્ર ક્ષમાશ્રમણે સાધ્યા. હારિભદ્રીય કૃતિઓના વૃત્તિ હરિભદ્રસૂરિની જેટલી કૃતિ મળે છે એ સર્વે સંસ્કૃત વૃત્તિથી વિભૂષિત નથી. જેટલી છે તેમાથી જે કૃતિઓને અંગે હરિભદ્રસૂરિએ પિતે વૃત્તિ રચી છે તેની નોધ મેં પૃ. ૧૮૪-૧૮૫મા લીધી છે. આમ હરિભદ્રસૂરિની આઠ કૃતિઓ પજ્ઞ વૃત્તિથી અલંકૃત છે. એમની આ - વૃત્તિઓ પૈકી અવેજ ૫૦ની વ્યાખ્યા તેમ જ લલિતવિસ્તરા ઉપર મુનિચન્દ્રસૂરિએ અનુક્રમે વિવરણ અને પંજિકા રચેલ છે. જે કૃતિઓ સ્વપન વૃત્તિ વિનાની છે તેમાની કેટલીક ઉપર તેમ જ આવશ્યકલથુવૃત્તિ અને ન્યાયપ્રવેશકવ્યાખ્યા ઉપર સંસ્કૃતમાં અનુક્રમે ટિપણુક અને ૫જિકા જેવાય છે. આ વૃત્તિકાગના નામ હુ અહી અકાદિ ક્રમે આપુ છું – ૧ આની એક હાથપોથી વિ. સ ૧૩૬૮માં લખાયેલી છે. ૨ જુઓ D C G C M (Vol. XVII, pt. 2, p33 ).
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy