________________
૨૧૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૭૨) દયાનશતકવૃત્તિ જિનભગણિએ જે ઝાણુઝયણ રચ્યું છે અને જે ધ્યાનશતક તરીકે સુપ્રસિદ્ધ છે તેના ઉપરની જે ટીકા આવસ્મયની હારિભકીય ટીકામાં આવી જાય છે તે જ આ હેવી જોઈએ. આ હિસાબે તે આ મુદ્રિત છે. પ્રતિક્રમણવિધિપ્રકાશમાં ધ્યાનશતકની વૃત્તિના કર્તા તરીકે હરિભદ્રસૂરિને ઉલ્લેખ છે. ઝાણુઝયણને કેટલાક આવસ્મયને ભાગ ગણે છે. (૭૩) નદિ દી)ટીકા યાને (૭૪) નન્દધ્યયનવૃત્તિ
નામ–૨નદી એ એક જૈન આગમ છે. એને અહીં નાધ્યયન કહ્યું છે. એના ઉપરની આ ટીકા છે. આનું ઉપર પ્રમાણેનું નામ એની પ્રશસ્તિમાં અપાયું છે.
પરિમાણ–આ ટીકાનું પરિમાણ ૨૩૩૬ શ્લોક જેવડું છે.
શંકા ને સમાધાન-નંદી (સુ. ૧૭)માં મન:પર્યાયજ્ઞાનને અગેનો ઉત્તર ગૌતમ(સ્વામી)ને જે અપાય છે તે કેવી રીતે ઘટે એ શંકા હરિભદ્રસૂરિએ ઉઠાવતા કહ્યું છે કે આ ગ્રંથ (નંદી) તે દેવવાચકે રચે છે તે પછી એકાએક ગૌતમનું સંબોધન કેમ? આનું સમાધાન હરિભદ્રસૂરિએ એમ કહ્યું છે કે શ કા બરાબર છે, પરંતુ આ તે પૂર્વેના સૂત્રના જ આલાપ અર્થરૂપે રજૂ કરાયા છે. જુઓ પત્ર ૪ર.
નામે લેખનંદીની ટીકા (પત્ર પર)માં ઉપયોગોને અગેના ત્રણ મને નિર્દેશ કરતી વેળા જિનભદ્રગણિ, સિદ્ધસેન
૧ આ મૂળ તેમ જ જિનદાસગણિએ શસ વત પ૯૮મા રચેલી ચુહિણ સહિત “ઝ કે એ સંસ્થા” તરફથી ઈસ ૧૯૨૮માં પ્રસિદ્ધ કરાઈ છે
૨. આના પરિચય માટે જુઓ H CL J (pp. 159-161) અને આ૦ દિ. (પૃ ૧૭૮-૧૮૨).
૩ જુઓ “ઉપખંડ”. ૪ જુઓ “ઉપખંડ”.