SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૨૧ (૯૩) પંચસંગ્રહ જૈ. સા. સં. ઈ. (પૃ ૧૬ર)માં આની નોધ છે. ૫. હરગોવિંદદાસે પૂ. ર૬માં આ વિષે એમ કહ્યું છે કે આ સુપ્રસિદ્ધ ગ્રંથ છે અને એના ઉપર મલયગિસૂિરિની ટીકા છે. મને તે જૈ. સાસં. ઈ.માને ઉલેખ ભ્રાત જણાય છે, કેમકે આ સૂરિની ટીકાથી અલંકૃત પંચસંગ્રહ (પંચસંગહ) તો ચન્દષિની કૃતિ છે. વિશેષમાં આ નામની કેટલીક દિગંબરીય કૃતિઓ પણ છે (૯૮ અને ૯૭) પંચાગ [પંચાશક] ૧૯ વિભાગ–આ “આર્યા” છંદમાં જ મોમા રચાયેલી કૃતિ ૧૯ વિભાગમાં વિભક્ત છે બીજ અને ૧૯મા વિભાગ સિવાયના બાકીના ૧૭ વિભાગોમાં પચાસ પચાસ પદ્યો છે, જ્યારે બીજા અને ૧૯મા વિભાગમાં ચુમ્માલીસ ચુમ્માલીસ પડ્યો છે આને લઈને તે આ પ્રત્યેક વિભાગને તેમ જ સંપૂર્ણ કૃતિને પણુ પંચાગ (સ પંચાશક) કહે છે કેટલાકનું એવું સૂચન છે કે જેમ વીસવીસિયામાં વીસ વીસિયા છે અને જોડશકમા સોળ ષોડશક છે તેમ પંચાસગમાં પચાસ “પંચાસગ” હોવા જોઈએ, પર તુ આ દલીલ વ્યાજબી નથી, કેમકે અષ્ટક પ્રકરણમા આઠ જ અષ્ટક નથી, પરંતુ ૩ર છે તેનું કેમ ? ૧ આ મૂળ કૃતિ અભયદેવસૂરિકૃત સત વૃત્તિ નામે શિષ્યહિતા સહિત “જે. ધ સ” તરફથી ઈસ ૧૯૧૨માં છપાવાઈ છે. એí મૂળ ત્ર કે એ સ સ્થા” તરફથી અન્ય સાત ગ્રાની સાથે ઈસ ૧૯૨૮માં અને એના પોન અકારાદિ ક્રમ અન્ય નવના એવા ક્રમ સાથે આ જ સસ્થા તરફથી ઈ સ ૧૯૨૯માં પ્રકાશિત થયેલ છે. વિશેષમાં અભયદેવસૂરિકૃત વૃત્તિ સહિત મૂળ “ત્ર કે જે સંસ્થા” તરફથી ઈસ ૧૯૪૧માં છપાવાયુ છે આમા સસ્કૃતમા વિષયાનુક્રમ, મૂળમાના ચૂટી કઢાયેલા પડ્યો અને અભયદેવસૂરિત વૃત્તિગત અવતરણની સૂચી અપાયેલા છે ૨ શુ પ્રથમથી જ ૪૪ પદ્યો હશે કે છે પદ્ય લુપ્ત થયા છે ?
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy