________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
વિવરણે–ઉવએ પય ઉપર વર્ધમાનસૂરિએ વિ. સ ૧૦૫૩મા સરસ્કૃતમા ટીકા રચી છે એની પ્રશસ્તિ પાથિંલગણિએ રચી છે અને એને પ્રથમદર્શ આમ્રદેવે લખ્યો છે જેસલમેરના ભંડારમાં આની વિ. સં. ૧૧૯૩માં લખાયેલી હાથપોથી છે જે, ભા. ગં. સૂ. (પૃ ૬-૭)માં આ ટીકાના આદિમ અને અંતિમ ભાગ અપાયા છે અને એ તે વિ. સ. ૧ર૧રમાં લખાયેલી હાથપોથીમાથી છે.
રામચન્દગણિની સહાયતાથી મુનિચન્દ્રસૂરિએ ઉવએસપથ ઉપર વિ. સ. ૧૧૭૪મા સુખસંધના નામની સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે. એમાં એમણે અર્થદષ્ટિએ ગહન એવી કોઈકની ટીકાને નિર્દેશ કર્યો છે. શું આ ટીકા તે જ વર્ધમાનસૂરિકૃત ટીકા છે ? સુખસાધનામાં મૂળમાં જે ઉદાહરણોનું સૂચન છે તેના સ્પષ્ટીકરણ તરીકે ટીકાકારે મોટે ભાગે પાઈયમા કથાઓ આપી છે. વિએ પય ઉપર એક અજ્ઞાતકર્તાક ટીકા પણ છે.
અનુવાદ–ઉવએ પય તેમ જ એના ઉપરની સુખસંબોધન વ્યાખ્યાના કામિકી બુદ્ધિ સુધીના ભાગને ગુજરાતી અનુવાદ “જૈન ધર્મવિદ્યાપ્રસારક વર્ગ” તરફથી ઈ. સ. ૧૯૦૯મા છપાયે છે.
(૨૨) કથાકેશ આ કથાઓના સંગ્રહરૂપ કૃતિ હશે. જેમકે હરિણકૃત બહતથાકેશ. પ્રસ્તુત કૃતિની એકે હાથથી હજી સુધી તે મળી આવી નથી, જોકે એની નોધ સુમતિગણિએ અને સર્વરોજગણિએ પણ ગટસન્સની ટીકામાં લીધી છે.
૧ આ મુદ્રિત છે જુઓ પૃ ૮૩, ટિ ૧
૨ આ “સિ જે 2.”મા ઈ સ ૧૯૪૩મા પ્રકાશિત કરાયો છે અને એનું સંપાદન એ એન ઉપાધ્યેએ કર્યું છે.