SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મૂયગડાંગ મૂત્ર मूलम्- ईसरेण कडे लोए, पहाणाइ तहावरे । जीवाजीवसमाउत्ते, सुहदुक्खसमन्निए ॥६॥ અર્થ ? જીવ અને અજીવથી યુકત તથા સુખદુઃખથી યુકત આ લોકને (વિશ્વને) ઈશ્વરે પેદા કર્યો છે એમ કેટલાક લેકે માને છે ત્યારે સાંખ્યમતવાલા કરે છે કે આ લેક પ્રધાનકૃત છે અર્થાત્ સત્વગુણ, રજોગુણ તથા તમે ગુણની સામ્ય અવસ્થારૂપ પ્રકૃતિથી બનેલ છે. मूलम्- सयंभुणा कडे लोए, इति वुत्तं महेसिणा । मारेण संथुया माया, तेण लोए असासए ॥७॥ અર્થ : વિષ્ણુએ આ સંસારની રચના કરેલ છે, યમરાજ દ્વારા માયાશકિતની રચના કરવામાં આવેલ છે. તે કારણથી સ સાર અનિત્ય છે. એમ મહષિએ કહેલ છે. ટિપ્પણ:- કેટલાક અન્યતીથીઓની માન્યતા છે કે આ વિશ્વની રચના વિષ્ણુએ કરી છે લોકની વ્યવસ્થા માટે વિષ્ણુએ યમરાજાને ઉત્પન્ન કર્યો છે તે યમરાજાના કારણે સતનું મૃત્યુ થાય છે અને અચેતનનું નાશ થાય છે જેની ઉત્પત્તિને નાશ થાય તે વસ્તુ અશાશ્વત મનાય છે. मूलम्- माहणा समणा एगे, आह अंड कडे जगे। असो तत्तभकासीय, अयाणंता मुसं वये ॥८॥ અર્થ : કોઈ એક બ્રાહ્મણ તથા શ્રમણ કહે છે કે આ જગત્ ઈડામાંથી ઉત્પન્ન થયેલ છે. પહેલાં જગત શૂન્ય હતું. બ્રહ્માએ સર્વ પદાર્થોને ઉત્પન્ન કર્યા છે વસ્તુ સ્વરૂપને નહિ જાણનારા તે બ્રાહ્મણ વિગેરે ખોટું બોલે છે. मूलम- सर्पह परियाएंह, लोओ बूया कडे त्ति य । तत्तं ते ण विजाणंति, ण विणासी कयाइ वि ॥९॥ અર્થ પ્રત અન્યતીથી લેકે કલ્પનાથી પિતાના લોકોને કર્યાનું બતાવે છે. તેઓ વસ્તુતત્વને જાણતા જ નથી. આ લેક કયારે પણ વિનાશશીલ થવાનું નથી. ટિપ્પણી કઈક આ લોકને દેવ દ્વારા રચના થઈ છે એમ માને છે. આ પ્રકારની માન્યતા વાળા વસ્તુતત્વથી અનભિજ્ઞ છે વાસ્તવિક તત્તવનુ જ્ઞાન નથી પર્યાયરૂપે ક્ષણે ક્ષણે પરિવર્તન પામવા છતાં દ્રવ્યરૂપે તે કદિ નાશ થતો નથી એટલે આ લેકનું અસ્તિત્વ કાયમ ટકી રહે છે मूलम्- अमणुन्नसमुप्पायं, दुक्खमेव विजाणिया। समुप्पायमजाणंता, कहं नायंति संवरं ॥१०॥ અર્થ : અશુભ અનુષ્ઠાનોથી દુખની ઉત્પત્તિ થાય છે એ જાણવું જોઈએ. દુઃખની ઉત્પત્તિને નહિ જાણનારા લોકે દુઃખને નાશ કરવાના ઉપાને (સંવરને) કયાંથી જાણી શકે ?
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy