SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ પ્રભુને ઉત્પન્ન થયેલું કેવળજ્ઞાન ચંદ્રમામાં જેમ ચકાર, તેમસ્વામીના મુખમાં પોતાની દષ્ટિસ્થાપીને બેઠા. એવામાં તે ઉપવનમાં ભગવતસમેસર્યાના સમાચાર, ઉદ્યાનપાલાએ જઈને કશુને સંભળાવ્યા. ત્યારે સાડીબાર કરી રૂપિયા તે વનપાલકોને બક્ષીક્ષમાં આપી, ગોજારૂઢ થઈ શ્રી નેમિનાથને વાદવામા ઉત્કંઠિત એકશુ ચા અને દશ દશાર્થો, માતાઓ કેટિકુમારે સમસ્ત અંત:પુર,તથા સોળહજાર રાજાઓથી પરવારેલ હરિ મહાદ્ધિ પૂર્વક સમવસરણુ પાસે આવ્યા. ત્યાંરથી હાથી પરથી ઉતરી, બધાં રાજ ચિન્હાને તજીને કેશવે ઉત્તરદ્વારથી તે સમવસરણના પ્રાકારમાં પ્રવેશ કર્યો, અને શ્રી નેમિને ત્રણ પ્રદક્ષિણા દઈ, વંદન કરીને સૈ દ્રની પાછળ બેઠા. ત્યાં બીજા પણ યથાસ્થાને બેઠા પછી ઈદ્ર અને ગોવિંદ પ્રભુને પુનઃ પ્રણામ કરીને ભારે ભક્તિગભિત વચનથી સ્તુતિ કરવા લાગ્યા–“હે જગન્નાથ' સમસ્ત જગતના ઉપકારી, જન્મથી બ્રહ્મચારી, કરૂણારૂપ લતાને જલધર સમાન, તથા ભવ્ય જીના રક્ષક એવા તમને નમસકાર . હે પ્રભે! ભાગ્યથી ચેપન દિવસમાં શકલ ધ્યાનથી ઘાતિકને તમે ખપાવ્યાં હે નાથ! કેવલ યદુકુળને તમે વિભૂષિત નથી કર્યું. પરંતુ કેવલજ્ઞાનના પ્રકાશમાં સૂર્યરૂપ એવા તમે આ ત્રણે જગતને અલંત કર્યા છે હેજિતેં! હે ચહુકુળરૂપ ગગનમાં દિવાકર. આ ભવસાગર અગાધ છતાં આ૫ના પાદપ્રસાદથી નિશ્ચય ગષદ (ગાયને ખુરન્યાસ) માત્ર લાગે. હે તીર્થનાથ! હે યદુવંશમડન ! લલનાઓના લાલિત્યથી બધાનું ચિત્ત ભેદાય છે, પરંતુ વા સમાન હૃદયવાળો અને અદ્યતન ભેદાય તે) તે ત્રણે ગતમાં તું એકજ છે, બીજે કઈ નથી, તે સ્વામીન 'તમારા પ્રત્યે વ્રત ગ્રહણ કરવાને નિષેધ કરનારી બંધુઓની વાણ, અત્યારે તમારી આ સંપત્તિ જોતાં અમને તે અત્યંત પશ્ચાત્તાય કરાવે છે. સારું થયું કે તે વખતે દુરાગ્રહી સ્વજને તમને ખલના કરનારન થયા હવે જગતના પુથી ઉત્પન્ન થયેલ અખલિત કેવલજ્ઞાનવાળા હેપ્રભે! સંસારસાગરના પતનથી અમારું રક્ષણ કરશે. ગમે ત્યાં રહેલ હોઉં છતાં, અને ગમે તે કામ કરતે હાઉં, છતા મારા હૃદયમાં તમો એક ઉપસ્થિત રહેજે બીજાનું શું પ્રચાજન છે?” એમ સ્તુતિ કરીને તે શક અને કૃષ્ણ વિરામ પામે છતે ભગવાન સર્વ ભાષાને અનુસરતી વાણુથી ધર્મદેશના દેવા લાગ્યા “સર્વ જીવેની સંપદાઓ વિજળીનાવિલાસ કરતાં પણ વધારે ચપળ છે, સગો વનમાં પ્રાપ્ત થયેલ પદાર્થ જેવા અને મહા વિયોગ લાવનારા છે, થાવન મેઘની છાયા સમાન ગમન સ્વભાવી છે. પ્રાણીઓના શરીર પણ પાણીના પરપોટા જેવાં છે, માટે અસાર આ સંસારમા સાર કાઈપણ નથી, એક દર્શન, જ્ઞાન અને ચારિત્ર આચરણ-એ સાર છે ન તોની શ્રદ્ધા–તે સમ્યગ્દર્શન ગણાય, યથાવસ્થિત તે તને બાધ-તે જ્ઞાન અને સાવદ્યાગથી વિરમણ, અને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy