SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયંતીનું ચરિત્ર. શુ ઉપકાર કરું? એટલે તે બોલી કે –“હે ભદ્ર! જે તે સંતુષ્ટ થયે છે, તે હું તને પૂછું છું કે મારા પતિ સાથે સમાગમ કયારે થશે? તે અવધિજ્ઞાનથી જાણીને બોલ્યો કે –“હે યશસ્વિની' પ્રવાસના દિવસથી માંડીને બાર વરસ પછી પતિની સાથે તારે સાગ થશે.પિતાના ઘરે રહેતાં તને તે મળશે, એ મારું વચન ખાત્રી પૂર્વક તું તારા મનમાં ધારી રાખજે. અત્યારે મનની અકળામણ તજી દે. જે તું કહેતી હોય તે તને એક આંખના પલકારામા પિતાના ઘરે લઈ જાઉં, રસ્તામાં શા માટે ખેદ પામે છે?” ત્યારે તે બોલી કે–નલના આગમનની વાતથી હું કૃતકૃત્ય થઈ છું. પણ ૫ર પુરૂષ સાથે હું જતી નથી.તારું કલ્યાણ થાય, તું સુખેથી જા. પછી તે પિતાનું જ્યોતિમય રૂપ બતાવીને વિજળીના પુજની જેમ તરતજ આકાશમાં ઉડી ગયે હવે પતિને બાર વરસને પ્રવાસ જાણીને દવતીએ પિતાના સતીત્વરૂપ વૃક્ષના પલ્લવ સમાન આવા અભિગ્રહ કર્યો ત્યાંસુધી નલ નહિ મલે, ત્યાં સુધી રશેલ વસ્ત્ર, તાંબુલ, આભારણ વિલેપન અને છ વિગયને હું લઈશ નહિ.” પછી વર્ષાકાલને વીતાવવા દવદંતીએ એક પર્વતની ગુફામાં નિવાસ કર્યો. ત્યાં શ્રી શાંતિનાથ પ્રભુનું માટીનું બિંબ પોતે બનાવીને સુકાના એક ખુણામાં થાપત કરી, તે બિંબની ભક્તિ પૂર્વક પાતે ૫૫ લાવીને ત્રિકાલ પૂજા કરતી હતી. ઉપવાસાદિક તપના પ્રાંતે તે પરમ શ્રાવિકા, બીજરહિત પ્રારુક ફળથી પારાશ કરતી હતી. હવે સાર્થવાહ નલપ્રિયાને ન જેવાથી તેન કલ્યાણ થાઓ? એમ ચિતવતે તેની પાછળ આવ્યા, અને તે શુકામાં આવતાં દબદતીને જિનર્મિંગની પૂજા કરતી જોઈ, તેને ક્ષેમકુશળ નિહાળી, સાર્થવાહ વિસ્મયથી વિકસિત નયને તેને નમીને પૃથ્વી ઉપર બેઠો. એટલે જિનપૂજા સંપૂર્ણ કરીને દવદંતીએ સવાગત પ્રશ્નપૂર્વક મધુર વાણીથી તેને બોલાવ્યો તે અવસરે તેમને શબ્દ સાંભળીને નજીકમાં રહેલા કેટલાક તાપસ ઉતાવળા ત્યાં આવ્યા અને સાવધાન થઈ અગલાની જેમ બેસી ગયા. એવામાં મેઘ મુશળધારાએ વરસવા લાગ્યું, એટલે ભાલા સમાન જળધારાથી આઘાત પામતા તાપસે બાલ્યા કે– અત્યારે અમે ક્યાં જઈએ અને આ જળથી કેમ બચીએ, ત્યારે જળના ભયથી તેમને ગભરાયેલા જોઈને તે સતી “બીક ન રાખે” એમ ઉ&ણ વચન બેલી, અને તેમની ચારે બાજુ કુંડાળું બનાવીને સંતશિરોમણિ તે કરીને મનહર વાણુથી બલી-જે હંસતી, પરમ શ્રાવિકા અને સરલ ચિત્તવાળી ઉં, તે આ કુંડાલાની હાર મેઘ વરસે.” એટલે તેના સતીત્વના માહા ભ્યથી ઉપર જાણે છત્ર ધારણ કરેલ હોય તેમ તે કુંડાળામાં લેશમાત્ર પણ પાણી ન પડયું. તે ચમત્કાર જોઈને બધા તાપસ ચિંતવવા લાગ્યા કે શું આ કોઈ ૧૧
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy