SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ ભવ. પ્રતિવાસુદેવના વધ. ૪ વાના વિચાર કરે છે. એ બનાવ જોઈ જવલનજટીએ આવી ત્રિપૃષ્ઠને કહ્યું આ સવ વિદ્યાધરાની કેવળ માયા છે; આમાં કાંઈ પશુ સત્ય નથી, હું તે ખરાખર જાણું છું કારણુ કે સર્પના ધસારા સજ જાણે મીજો ન જાણે. માટે આપ તૈય ર્ થા ! આપ જ્યારે થારૂઢ થશે ત્યારે પછી કયા પુરૂષનુ તેજ વૃદ્ધિ પામશે ? આ પ્રમાણે જવલનજટીએ કહ્યું, એટલે મહારથીઓમા અગ્રેસર એવા તે ત્રિપૃષ્ઠવાસુદેવ પેાતાના સૈન્યને આશ્વાસન આપી મેટ રથ ઉપર આરૂઢ થયા, અને માટી ભુજાવાળા અચલ બલભદ્ર પણ સંગ્રામના રથ ઉપર બેઠા જ્વલનજટી વિધાધર વગેરે પણ તૈયાર થયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયલા દેવતાઓએ આવી ત્રિપૃષ્ઠ વાસુદેવને શાડ્ગ નામે દિબ્ય ધનુષ્ય, કૌમાદકી નામે ગદા, પાંચજન્ય નામે શ ́ખ, કૌસ્તુભ નામના મણિ, નંદક નામે ખી અને વનમાળા નામે એક માળા અર્પણુ કરી. તેમજ બલભદ્રને સવક નામે હળ, સૌન'ઇ નામે મુશળ અને ચ'દ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેના દિવ્યશસ્ત્રા મળેલાં જોઇને સવ સુભટો ઘડ્ડા હર્ષ પામ્યા, અને ઉત્સાહપૂર્વક અધિક અધિક પરાક્રમથી યુદ્ધ કરવા લાગ્યા. તે પછી ત્રિપૃષ્ઠે દિશાઓના મુખને પુરનારા પાંચજન્ય નામના શંખરત્ન ચૂકયા. 7 તે પછી બન્નેના લશ્કર્ વચ્ચે કલ્પાંતકાલના જેવું ભયકર યુદ્ધ થયું. ત્રિપૃષ્ઠવાસુદેવ અને અશ્વત્રીવ અન્નેએ પરસ્પર યુદ્ધ કર્યુ. છેવટે અવગ્રીવ રાજાએ પેાતાનુ ચક્ર પૂણ બળથી ત્રિપુષ્ટ વાસુદેવના ઉપર મૂકયું. તે ચક્રના આઘાતથી વાસુદેવને મૂર્છા આવી. મૂર્છા વળ્યા પછી તેજ ચક્ર વાસુદેવે અશ્વત્રીવના ઉપર મૂકયું, તે ચક્ર તરતજ કદલીના થડની પેઠે અશ્વીવનુ મસ્તક છેદી નાંખ્યું. કારણ કે પ્રતિવાસુદેવ પેાતાના ચક્રથીજ હણાય છે. વાસુદેવના જય થવાથી ખેચાએ હર્ષથી ત્રિપુષ્ઠના ઉપર For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy