SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫-૮ ભવ. ] યુદ્ધની તૈયારી. ૪૭ વાસુદેવ અન્ધશ્રીવે પ્રતિજ્ઞા કરી. પેાતાના તાખાના સૈન્યને રણસંગ્રામ માટે તૈયારી કરવાની આજ્ઞા કરી. આવી રીતની રાજાની આજ્ઞાથી બુદ્ધિમાન્ મુખ્યપ્રધાન ચકિત થઇ ગયા, તેણે વિનયપૂર્વક રાજાને વિનતિ કરી ફૅઆપ મહારાન્તએ લીલા માત્રમાં આ ત્રિખંડ ભરતક્ષેત્રને પૂર્વ જીતી લીધેલું છે, તે આપની કીતિ તથા લક્ષ્મીની વૃદ્ધિને માટે થયેલુ છે. તેમજ સર્વપરાક્રમિઓમાં આપ અગ્રેસર થયા છે, તે આ એક માત્ર સામત રાજાના વિજય કરવા માટે તમે પોતે તૈયાર થયા છે તેા હવે તેથી તમે વિશેષ શી કીર્તિ અને લક્ષ્મી મેળવશે ? પરાક્રમી પુરૂષોના હીન પુરૂષોના વિજયથી કાંઈ પણ ઉત્કર્ષ થતા નથી, પણ કદી જો દૈવયેાગે હીન પુરૂષને વિજય થયા તે પૂર્વે ઉપાજેલા સ યશે એકી સાથે ચાલ્યા જાય છે. કેમકે રણની ગતિ વિચિત્ર છે. વળી નિમિત્તિયાએ કહેલી બન્ને ખાખતા. સત્ય થએલી હોવાથી મને તા મેરી શકા થાય છે, માટે આ વખતે તેની ઉપેક્ષા કરવી એ મને તે ઉચિત લાગે છે, હું પૃથ્વીપતિ ! જો કદી આમ બેસી રહેવાનું આપ પસંદ કરતા ન હો તે આપના સૈન્યને જવાની આજ્ઞા આપે; પણ આપે જાતે જવુ' એ મને આ વખતે લગાર પણ ઉચિત લાગતું નથી. રાજાએ અભિમાનના આવેશથી માત્રિની આવી સત્ય અને હિતકારી વિન ંતિને અનાદર કર્યાં. ગવ રૂપી મદીરાના કેળા પુરૂષાને ચે1ના કયાંથી હેાય વાર્ ? પ્રતિવાસુદેવની આજ્ઞા મુજબ સેવકોએ પ્રસ્થાનની દુંદુભિ વગડાવી. સર્વ સિનકા સામગ્રી સાથે આવી એકઠા થયા. સપૂર્ણ સૈન્ય સાથે રાજા રથાવત પત નજીક આવી પહોંચ્ચા. પર્વતની નીચેની ભૂમિઉપર વિદ્યાધરાના સૈન્યએ નિવાસ કર્યાં. આ તરફ પે।તનપુરમાં વિદ્યાધરાના રાજા જ્વલનજટીએ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy