SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ ઉત્તરથી દૂત જેમ ચાબુક મારવાથી અ ઉતાવળી ગતિ કરે છે ! તેમ તે નગર છેડી ઉતાવલે પોતાના રાજાની પાસે આવી સાધંત હકીકત નિવેદન કરી. દૂતે કહેલા સર્વવૃત્તાંતથી હયગ્રીવનાં નેત્ર રાતાં થઈ ગયાં, દાઢે અને કેશ રવા લાગ્યા, દાંત વડે તે હોઠ કરડવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યું, અને ભયંકર ભ્રકુટીથી તેનું લલાટ વિકાળ જણાવવા લાગ્યું એવું ઉગ્ર રૂપ ધારણ કરી કેપ સહિત પિતાના તાબાના વિદ્યાધરોના અધિપતિઓને આજ્ઞા કરી કે પવન જેમ મેઘને, સિંહ જેમ હરિણને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઈને જવલાટી અને પ્રજાપતિ તથા તેના પુત્રને પરાજય કરે. જેમના હાથમાં રણસંગ્રામ કરવાની ચળવળ થયા કરતી હતી એવા વિદ્યારે રાજાની આજ્ઞાથી ખુશી થયા અને એકદમ સૈન્ય સહિત પતનપુર નગરે આવ્યા. પ્રજાપતિ રાજાને તેમના આવ્યાને વૃત્તાંત સાંભળી સંભ્રમ થયે. જવલન જટીએ તેને કહ્યું અલ્પગ્રીવરાજાની આજ્ઞાથી તેના સુભ આવે છે તે ભલે આવે તેમના સામે હુંજ જઈશ, મ્હારી પહેલાં તમારે કે ત્રિપષ્ઠકુમાર કે અચલ કુમારે યુદ્ધ કરવાની જરૂર નથી આ પ્રમાણે કહી ઉત્સુકતાપૂર્વક પિતાના પરિકર સાથે તે તેમની સામા યુદ્ધ કરવા ગયા અને પિતાની વિદ્યાના બળે અશ્વગ્રીવ રાજાના તરફથી આવેલા વિદ્યાધરને હરાવી તેમને કહ્યું કે–અરે વિદ્યાધરે ! ચાલ્યા જાએ, અનાથ અને ગરીબ એવા તમને કઈ મારશે નહિ, તમે તમારા સ્વામીને રથાવર્તપર્વતપર મેકલે, અમે પણ ત્યાં આવી પહોંચીશું. આ પ્રમાણે બનેલા બનાવથી ત્રિપૃષ્ઠ, અચલ. અને જવલનજટિ સહિત પ્રજાપતિ રાજાને સંગ્રામમાં સંહાર કરવાની પ્રતિ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy