SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ભવ. ! શેરને માથે સવાશેર તાબાના રાજા છે. ને તેમાંના કેઈ મને ઉપ્રદ્રવ કરી શકે એવા બળવાળા નથી તથાપિ તે રાજાના પુત્ર માં કઈ મને મારનાર ઉત્પન થશે ખરે? એ જાણવું છે કે અશક્ય છે તે પણ મારે જાણવું જોઈએ. આ નિશ્ચય કરી તેણે અશ્વબિંદુ નામને ઉત્તમ પ્રકારે નિમિત્તશાસ્ત્રને જાણકાર હતું, તેને પોતાની પાસે બે લાગ્યું. તે નિમિત્તાને પ્રતિ વાસુદેવે પિતાના મનની શંકા પૂછી. અતિ આગ્રહપૂર્વક એ હકીક્ત જાણવાની ખાતર તેને ઉત્તર આપવાની નિમિત્તજ્ઞને ફરજ પાડવાથી, નિમિત્તિયાએ લગ્નાદિક વિચારીને પ્રતિવાસુદેવના પ્રશ્નને ઉત્તર આપે કે-હે રાજા તમારા ચંડવેગ નામના દૂતને જે પરાભવ કરશે, અને પશ્ચિમ દિશાને અંત ઉપર રહેલા સિંહને જે મારશે તે તમારે વધ કરનાર થશે. નિમિત્તજ્ઞના ઉત્તરથી પ્રતિવાસુદેવ અથવગ્રીવ ગ્લાની પામી ગયે. પણ ઉપરથી તેની અસર જણાવ્યા સિવાય તેને આદરસત્કાર કરી વિદાય કર્યો. . તેવા સમયમાં એક યુવાન કેશરી–સિંહે પશ્ચિમ દેશને ઉજજડ ર્યાના સમાચાર આવ્યા. આ સિંહને વધ કરનાર કોણ થશે ! એ જાણવાની અપેક્ષાથી તે પ્રદેશમાં શાળીનું વાવેતર કરવાનું, અને તે વાવેતરના રક્ષણ માટે પોતાના તાબાના સેળ હજાર રાજાઓને અનુક્રમે રહેવાની આજ્ઞા કરી. તે રાજાએ અનુક્રમે શસ્ત્રદિવડે સનબ્દબદ્ધ થઈ ત્યાં જઈ, પ્રતિવાસુદેવની આજ્ઞા મુજબ ખેડુત જેમ ગાયે વિગેરે પશુઓથી ક્ષેત્રની રક્ષા કરે, તેમ સિંહથી તે શાળી ક્ષેત્રની રક્ષા કરવા લાગ્યા. બશેરને માથે સવાશેર ” એ કહેવત મુજબ જગતમાં હમેશાં બળવાન પુરૂષથી પણ વિશેષ બળવાન પુરૂષ રહેલા હોય છે, અને તે જ કારણથી આ પૃથ્વી “વત્સા વસુંધરા ” કહેવાય છે. પ્રજાપતિ રાજાના બે કુમાર છતાં મહાન તેજસ્વી તેઓ સર્વ મનુષ્યવીરને તૃણ જેવા ગણે છે, એવી ખબર For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy