SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર મા મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ દૈત્યાદિકથી પણ ભય પામે નહિ એવા બલિષ્ઠ હતા. બન્ને વચ્ચે પરસ્પર અત્યંત સ્નેહ હોવાથી અચલકુમાર વિના ત્રિપૃષ્ઠકુમાર અને ત્રિપૃષ્ણકુમાર વિના અચલકુમાર એકલા રહેતા નહિ. જાણે બે શરીર અને એક આત્મા હાય ! તેમ તેએ સાથે જ ફરતા હતા. બલભદ્રઅચલ અને ત્રિપૃષ્ઠવાસુદેવના પિતા પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવના તાબાના રાજા હતા. એ પ્રતિવાસુદેવને યુદ્ધની અંદર છતી, તેણે મેળવેલી ત્રિખંડ પૃથ્વીની રાજ્ય લક્ષમી વિપૃષ્ઠવાસુદેવ પ્રાપ્ત કરશે; એ કારણસર એ પ્રતિવાસુદેવને વૃત્તાંત આ ઠેકાણે જાણવાની આવશ્યકતા છે. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનો વૃત્તાત. અશ્વગ્રીવ રત્નપુર નગરને રાજા હતે એ મહાભુજનું શરીર એંશી ધનુષ્ય ઉંચું હતું. અને તેનું આયુષ્ય ચારાશી લાખ પૂર્વનું હતું. એ મહાબાહુ અને પરાક્રમી વીર રણસંગ્રામમાં ઘણે કુતુહલી હતું. રાજા મહારાજાએ પણ એ પ્રતિવાસુદેવથી ભય પામી તેની ભકિત કરતા હતા. યેગી પુરૂષે જેમ પરમાત્માને ભૂલે નહિ, તેમ સર્વ રાજાઓ કે દિવસ પણ તેને પિતાના હદયમાંથી ભૂલી જતા ન હતા. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવે પિતાના પરાક્રમથી આ ભરતક્ષેત્રના ત્રણખંડ સ્વાધીન કરી લીધા હતા. જેની અંદર વૈતાઢ્ય પર્વત પણ આવી જાય છે. તેમજ પિતાના બળ અને પરાક્રમથી વિદ્યાધરની બે શ્રેણીએ વિદ્યાધરોને યુદ્ધમાં પરાજીત કરી લીધી હતી. માગધ, વરદામ અને પ્રભાસતીર્થોના અધિપતિઓ પણ તેમની સેવા કરતા હતા. એકંદર સોળહજાર મુગટબદ્ધ રાજાએ તેના ઉગ્ર શાસનમાં હતા. આવી રીતે પ્રતિવાસુદેવ અવીવ એકછત્રસામ્રાજ્યને પ્રાપ્ત કરી પૃથ્વીમાં ઈદ્રની જેમ કાળ નિર્ગમન કરતે હતે. એક વખત એ પ્રતિવાસુદેવના મનમાં અનાયાસે એવી શંકા પેદા થઈ કે-દક્ષિણાદ્ધભરતક્ષેત્રમાંના રાજાએ તે મહારા For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy