SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૪ પુરના મીત્ર નંદિરાજા, ઈત્યાદ્ધિ બીજા પણ કેટલાક રાજા ભગવંત મહાવીરના ભકત હતા. આ સર્વ રાજાઓનાં નામ અંગોપાંગશાસ્ત્રમાં લખેલાં છે. આ રાજાઓ બોધના ભકત હતા, તેથી બૌધશાસ્ત્રમાં તેમનાં નામ જોવામાં આવે છે. તે તેનું શું કારણ? એ સંબંધે એજ બુકના પ્રશ્ન છ૭ ના ઉત્તરમાં સુરિશ્વરજી જણાવે છે કે, જેટલા રાજા ભગવંત મહાવીરના ભકત હતા, તે તમામના નામ બૌધશાસ્ત્રમાં લખેલાં નથી. પરંતુ કેટલાક રાજાઓનાં નામ જેવામાં આવે છે. તેનું કારણ એમ જણાય છે કે, પહેલાં તે રાજાઓ એ બુદ્ધને ઉપદેશ સાંભળી, બૌધમત અંગીકાર કર્યો હશે, પછી શ્રી મહાવીર ભગવંતનો ઉપદેશ સાંભળી, જૈનધર્મમાં આવેલા જણાય છે. કેમકે શ્રી મહાવીર ભગવંતની પહેલાં ૧૬ વર્ષ અગાઉ બુદ્ધ કોલ કર્યો છે. અર્થાત ગૌતમબુદ્ધના મરણ પછી, શ્રી મહાવીર ૧૬ વર્ષ સુધી કેવલીપણે વિચાર્યા હતા. તેમના ઉપદેશથી કેટલાક બૌધરાજાઓએ જૈનધર્મ અંગીકાર કર્યો. તેથી કેટલાક રાજાઓના નામ બને મતમાં લખેલાં જણાય છે.” ભગવંતના ભક્ત રાજાઓ પૈકી કેટલાક રાજાઓની હકિક્ત બીજા પ્રકરણમાં પ્રસંગે પ્રસંગે છુટી આવી ગઈ છે. એ બધા રાજાએમાં રાજગૃહ નગરના રાજા શ્રેણિક મહારાજાએ મૂખ્ય છે. તેમના જીવનને જેટલે ભાગ ભગવતના ચરિત્ર સાથે સંબંધ ર્તા છે, તે આ ચરિત્રના અંગે આવવાથી, ભગવંતનાથી તેમને તથા તેમના રાજ્યકુટુંબને અધ્યાત્મિક કેટલે લાભ થયેલે છે, તે સમજાય છે. તેથી શ્રેણિક મહારાજને વૃત્તાંત વિસ્તારથી આપવાનું સ્પેશ્ય ધાર્યું છે. શ્રેણિક રાજાના પિતાની રાજ્યધાની મગધદેશના કુશાપુર નગરમાં હતી. તેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના શ્રેણિક રાજા શાસનમાં વર્તતા હતા, અને જૈનધર્મ વૃત્તાંત. પાળતા હતા. એ રાજ્યધાનીના નગરમાં વારંવાર અગ્નિને ઉપદ્રવ થતું હતું, તેથી For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy