SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [પ્રાણ ૨૨ વ્રતધારી શ્રાવકોમાં જેઓ શુદ્ધ રીતે વ્રતનું પાલન કરી આત્મભાવની નિર્મળતા કરે છે, એવા અવધિજ્ઞાનવાળા વ્રતધારીઓને કવચિત અવધિજ્ઞાન થાય છે. આનંદ અને મહા- આ દશે વ્રતધારી શ્રાવકોએ શ્રાવકના શતક લાયકની અગીઆર પ્રતિમાને અંગીકાર કરી, તેનું પાલન કરેલું છે. તે પણ આ દશ પકી પહેલા આનંદ અને આઠમા મહાશતકને શુભ અધ્યવશાચના ગે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. આનંદજીને વ્રત ગ્રહણ કર્યા પછી ચડતા ભાવથી, નિર્મળ પ્રણામથી, દેવપૂજન તથા પૌષધ ઉપવાસાદિ ધર્મક વડે, આત્માને ભાવતાં ચૌદ વર્ષ વ્યતિત થઈ ગયાં. જ્યારે પંદરમાં વર્ષમાં પ્રવેશ થયો એટલે અગીઆર પ્રતિમા અંગીકાર કરવાની ઈચ્છાથી, પિતાના જ્ઞાતીબંધુ, સ્વજન અને મિત્રોને એકઠા કરી સરસ ભેજનથી તૃપ્ત કરી, સત્કાર કર્યો. પછી તેમની સમક્ષ પિતાના જ્યછ પુત્રને કુટુંબના સ્વામીત્વ ઉપર સ્થાપન કરી, તે સર્વ અને પુત્રાદિકની રજા મેળવી, એજ વાણીજ્ય ગામમાં કેલ્લાકસંનિવેશમાં પિતાની પૌષધશાળામાં આવ્યા. ત્યાં ભૂમિને પ્રમાજીક અને ઉચ્ચાર તથા પ્રશ્રવણની ભૂમિને પડી લેડી, દર્ભના સંથારા ઉપર આરૂઢ થઈ, શ્રાવકની પહેલી પ્રતિમાને અંગીકાર કરી તેને સૂત્રોક્ત વિધિ પૂર્વક આરાધી, અનુકમે શ્રાવકની અગીઆર પ્રતિમાનું આરાધન કર્યું. તપશ્ચર્યાથી તેમનું શરીર સુકાઈ ગયું છે, તે પણ પિતાના વ્રત નિયમનું શુદ્ધ અને ચઢતા પરિણામથી તે આરાધના કરે છે. એક એક દિવસે નિર્મળ અધ્યવસાય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષેપશમ થવાથી, તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેવામાં પ્રભુ તે ગામની બહાર સમેસર્યા છે. પ્રભુની આજ્ઞા મેળવી ઈદ્રભૂતિ ગણધર મહારાજ ત્રીજી પિરસીમાં તે ગામમાં ગૌચરીએ નીકલ્યા છે? લેકના મુખથી આનંદજીની હકીકત તે મહાનુભાવે સાંભળી, અને આનંદજી જે ભાગમાં રહેલા છે તે તરફ પતે આવ્યા. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy