SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ભવ. ] ભાવશ્રાવક ગુણ સ્વરૂપ. ૪૯૭ વગર વિચારે ચાલતી લેક રૂટીને તને, સુપરિક્ષા કરીને, લાભાલાભને બરાબર વિચાર કરીને, દરેક ક્રિયા કરવી. ગાડર ઘેટાંજેમ એકની પાછળ બીજા ચાલે છે તેવા ગાડરિયા પ્રવાહની માફક કેઈ પણ ક્રિયા કરવી નહિં. ૧૦ આગમપુરસ્સર પ્રવૃત્તિ–પરલેકના માર્ગમાં જિનાગમ શીવાય બીજું પ્રમાણ નથી, માટે આગમને અનુસરતી-આગમપુરસ્સર-સર્વ ક્રિયાઓ કરવી. રાગાદિક દેને જીતનાર જિનેશ્વરએ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ પ્રધાન મોક્ષ માર્ગ કહે છે. વળી પૂર્વાપર અવિરેાધ એવા આગમમાં કરૂણું કરી ધર્મનું મૂળ સમાયિકાદિ સર્વ ક્રિયાઓ બતાવેલી છે, તેમજ તેનાજ રક્ષણ કરનારા ક્ષતિ પ્રમુખ ધર્મ બતાવેલા છે. માટે આગમની આજ્ઞાનુસાર સર્વ દેવવંદન, પ્રત્યાખ્યાન પ્રતિકમણાદિ કિયાએ કરવી. ૧૧ યથાશક્તિ દાનાદિનુ પ્રવર્તન કરવું. શક્તિ ગેપડ્યા શિવાય, આત્માને બાધા ન થાય તેમ, જેમ ઝાઝુ થાય તેમ સુમતિમાન પુરૂષે દાનાદિક ચતુર્વિધ ધર્મને આદર, પ્રવૃત્ત કરવી. આવક પ્રમાણે દાન કરનારા થવું આવક પ્રમાણે ખરચ રાખ. નાર થવું; અને આવક પ્રમાણે ભંડારમાં સ્થાપન કરનારા થવું. એ પ્રમાણે કરવાથી લાંબા કાળે ઘણું દઈ શકે છે; એજ પ્રમાણે શીલ, તપ, ભાવમાં પણ સમજી લેવું. એ પ્રમાણે સુમતિ એટલે પરિણામિક બુદ્ધિવાળા પુરૂષે દાનાદિક ચતુર્વિધ ધર્મનું પાલન કરવું. આ ચાર પ્રકારને ધમ ચાર ગતિરૂપ ગહન વનને નાશ કરવાને અગ્નિ સમાન છે. ૧૨ વિહીક–ચિંતામણું રત્ન માફક દુર્લભ, હિતકારી, નિર્દોષ ક્રિયા અંગીકાર કરીને તેનું પાલન કરવામાં મુગ્ધ જનેના હસવાથી શરમાવું નહિ. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy