SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૮ : શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૨ જિનાગમ સમજાવવામાં કુશળ ગુરૂના પાસેથી પૂર્વે સાંભળેલા વચનથી, એકાગ્રમને ચત્તમાં ખુબ વિચાર ચિંતવવા. ૫ ધમ કથાની વિધિ એ છે કે, ગુરૂના પ્રસાદથી શુદ્ધ ધર્મો પદેશ જે બરાબર સમજાય હાય, અને પિતાને તથા પરને જે ઉપકારક હોય, તે કેવળ ધર્માથિ થઈને એગ્ય જનને કહે. આ રીતે સ્વાધ્યાય-સઝાય-કરવાથી તે અત્યંતર તપની કોટીમાં આવે છે. ૨ ક્રિયાનુણાનમાં એટલે ત૫ નિયમ અને વંદન વિગેરે કરવામાં નિત્ય ઉદ્યમાન રહેવું. (ક) તપ-છ પ્રકારના બાહ્ય બને છ પ્રકારના અત્યંતર તપમાં કોઈને કોઈ તપ સમતા પૂર્વક કર. (ખ) નિયમ-એટલે રસ્તે ચાલી થાકેલા, ગ્લાન, આગમ, ભણુતા, લેચ કરનાર, તેમજ તપસ્વિ સાધુના ઉત્તરપારણે દીધેલું દાન. આ દાન વિશેષ ફળવાળું થાય છે. (ગ) વંદના એટલે દેવ–પ્રતિમા તથા ગુરૂનું વંદન તથા જિનપૂજાદિ કરવામાં નિત્ય ઉદ્યમાન રહેવું. (૩) ગુણીજને એટલે વધુ માન રાખવા એગ્ય હોય, તેમના તરફ અભ્યથાન વિગેરે વિનય જરૂર બતાવવું જોઈએ. તેના આઠ પ્રકાર છે. ૧ પાસે આવેલા જોઈને ઊભા થવું. ૨ મસ્તકે અંજલી બાંધવી, ૩ ગુરૂજન બેઠા પછી બેસવું. ૪ તેમની ઊપાસના કરવી. ૫ આવતા જેમાં તેમના સામા જવું. ૬ પતે પોતાના હાથે આસન આપવું. ૭ તેમને વંદન કરવું. ૮ જાય ત્યારે વળાવા જવું. (૪) ત્રીજુવ્યવહારી-અનાભિનિવેશવાનનામાં કદાગ્રહ હોતું નથી. કારણ મોહનું જોર ટળવાથી કદાચ રહેતું નથી.મોહને ઊછળે ટળતાં કઈ બાબતમાં સ્વઆગ્રહ નથી રહેતું. આ મેહનો ઉછાળે ટાળવાનું સાધન એ છે કે તેવા પુરૂષે તીર્થકર ગણધર કે ગુરૂનું For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy