SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૧ પ્રકરણ ૨૨ તેમાં પણ વિશેષ કરીને ગુણવાન પુરૂષની નિંદા કરવી, ભેળે ભાવે ધર્મ કરનાર ઉપર હસવું, પૂજનીય પુરૂષેનું અપમાન કરવું, બહુ લકથી જે વિરૂદ્ધ હેય તેની સોબત રાખવી, દેશ, કુળ, જાત, વિગેરેના જે આચાર હાય તેનું ઉલ્લંઘન કરવું, ઉભટ વેષ કે ભપકે રાખ, બીજા દેખે તેમ (નાદે ચઢી) દાન કરવું, ભલા માણસને કષ્ટ પડતાં રાજી થવું, પોતાનું સામર્થ્ય છતાં ભલા માણસને પડતું કષ્ટ નહિ અટકાવવું ઈત્યાદિ. (ખ) પરલોક વિરૂદ્ધ–ખરકમ એટલે જે કામ કરતાં સખતાઈ વાપરવી પડે છે. જેવા કે જલાદનું કામ, જકાત વસુલ કરવાનું કામ. આવા પ્રકારનાં કામ સુકૃતી પુરૂષે વિરતિ લીધી ન હોય તે પણ કરવાં નહિ. (ગ) ઉભયલોક વિરૂદ્ધ જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી, અને પરસ્ત્રીગમન, આ સાત વ્યસનેનું સેવન કરનાર લેકની અપ્રીતિનું કારણ થાય છે, અને તેને ત્યાગ કરનાર સુજન પુરૂષના સહવાસને લાયક નીવડે છે. દાન, વિનય, સદાચારસંપન્ન એવા પ્રકારના સારા ગુણે પ્રાપ્ત કરનાર લોકપ્રિય થાય છે. આવા પ્રકારના ગુણવાળે કપ્રિય પુરૂષ, સમ્યફ દષ્ટિ જનોને ધર્મમાં એટલે ખરેખરા મુકિત માગમાં બહુ માન ઉપજાવવાનું નિમિત્ત કારણ બને છે. બધી બીજને ઉત્પન્ન કરે છે. ૫ અક્રપણું–કિલષ્ટ પરિણામી જે હય, તે ધર્મને સમ્યફપણે સાધવાને સમર્થ થઈ શકે નહિ. જે અકુર હોય તે જ ધર્મ સાધન માટે એગ્ય છે. ૬ ભીરૂઆલાકના અપાય એટલે રાજ તરફથી થતી ધરપકડ, અને પરલોકના અપાય એટલે નરકાદિ નીચી ગતિમાં ગમન, તથા અપશય. એના દુઃખેને વિચાર કરીને હિંસા જુઠ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy