SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ બવ. ] પ્રભાવતી. ૪૫ પૈસાળી નગરીના રાજા ચેટકમહારાજ, જે ભગવંતના શ્રાવક હતા, તેમને સાત પુત્રીઓ હતી. તે ચેડા રાજાની પુત્રી- પૈકી પ્રભાવતી વીતભયનગરના રાજા એ પૈકી જેમણે ઉદયાનને આપેલી હતી, ચેટક મહારાજાની દીક્ષા લીધેલી એ સાતે પુત્રીઓ સતી હતી. પ્રભુ વિરના તેમનાં નામ. ઉપર તેઓને ભકિત રાગ હિતે, ઉદાયન સજા શરૂવાતમાં તાપસેના ભક્ત હતા. એક વિદ્યુમ્માલી દેવે, પિતાના ધર્મમીત્ર નાગિલ દેવની સુચનાથી ભગવંતના વિદ્યમાનપણામાંજ પ્રભાવતી, ભગવંત કાત્સગે રહેલા હતા, તેવાજ આકારની ગશીર્ષ ચંદનના કાણની મૂતિ બનાવરાવી, અને સર્વ અલંકાર યુકત જાતિવંતચંદનકાષ્ટના પોતે ઘડેલા સંપુટમાં તે પ્રતિમાને સ્થાપના કરી. સમુદ્રમાં જતા એક વહાણવટીને તે દેવે પ્રતિમાવાળે સંપુટ સોંપીને કહ્યું કે “ હે ભદ્ર ! તમારું કલ્યાણ થાઓ. તમે સમુદ્રનાપાર સિંધુ સીવીર દેશમાં આવેલા વીતભય નગરમાં જજે, અને નગરના મધ્ય બજારમાં ઉભા રહી એવી ઉદ્દઘોષણ કરજો કે, “આ દેવાધિદેવની પ્રતિમા કેઈ ગ્રહણ કરે, ગ્રહણ કરે.” વહાણવટીએ તે પ્રમાણે કબુલ કર્યું, પછી તે વહાણવટી પ્રતિમાના પ્રભાવથી તત્કાલ નદીની જેમ સમુદ્રને ઓળંગી કાંઠે આવ્યું. ત્યાં દેવની આજ્ઞા પ્રમાણે વીતભય નગરના બજારના વચ્ચે ઉભા રહી દેવે કહ્યા પ્રમાણે ઉદ્દઘોષણા કરી. તે વખતે તાપસેને પરમ ભકત ઉદાયન રાજા, કેટલાક ત્રિદંઢઓ, બ્રાહ્મણ તથા તાપસે ત્યાં આવ્યા. તેઓ શંકર, બ્રહ્મા, વિષ્ણુ અથવા બીજા પિતા પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી, કુહાડાવતી તે કાષ્ટના સંપુટ ને તોડવા લાગ્યા. લોકોએ પણ પોતપોતાની રૂચી પ્રમાણે સ્તુતિ કરી, અને ઘણું પ્રહાર કર્યા, પણ પેટી ઉઘડી નહી, કે તેને કંઈ અસર કરી શકયા નહી. મધ્યાન્હને સમય થયા, પણ સંપુટ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy