SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨ મારા લાયક શિષ્ય છે એમ જાણી મરિચિએ જણાવ્યું કેતેમનામાં ધર્મ છે, અને મારા માર્ગમાં પણ ધર્મ છે. પછી કપિલ તેને શિષ્ય થયો. આ ઉસૂત્ર પ્રરૂપણાથી મરિચિએ કેટકેટી સાગરોપમ કાળ પ્રમાણે સંસારઉપાર્જન કર્યો. તે પાપની આલોચના કર્યા વગર પ્રાંતે અનશનવડે મૃત્યુપામીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયે. તથા કપિલ પણ આસુરી વગેરે શિષ્યા કરી, બ્રહ્મલકમાં દેવ થયે. ત્યાં અવધિ-વિર્ભાગજ્ઞાનથી પિતાના પૂર્વજન્મને જાણીને કપિલ મોહથી પૃથ્વી પર આવ્યું, અને આસુરી વિગેરેને પિતાનો સાંખ્ય મત જણાવ્યું. તે વખતથી સાંખ્યદર્શન પ્રવયું કેમકે “લેકે પ્રાયઃ સુખસાધ્ય અનુષ્ઠાનમાં પ્રવર્તે છે.” અહીં નયસારને જીવ મરિચિપણે ત્રીજા ભવમાં ઉત્પન્ન થએલે તે ભવ પૂરે થાય છે. આ ભવમાં તેણે નીચત્ર નામનું અશુભકર્મોપાર્જન કર્યું. તેમાં એક કટાકોટી સાગરોપમ પ્રમાણે સંસારમાં ભમવાનું કર્મ ઉપાર્જન કર્યું, નીચ ગોત્ર બાંધ્યું તે સંબંધી કાંઇ વિચાર કરીએ. નિર્મળ પરિણામયુકત શુદ્ધચરિત્રના સેવનથી જીવ ઉત્તરોત્તર ઉચ્ચ કેટીમાં ચઢે છે. તે ધનની આ ભવમાં તેને પ્રાપ્તિ થઈ હતી. તે સાધનને ઉપયોગ કરવામાં તે કંટાળી ગયે, ચારિત્રપાલવાના ખરા પ્રસંગે તે તાપ અને તૃષાના પરિસહથી શિથિલ પ્રેરણાએ, શરીરસુખની ભાવના તેનામાં ઉત્પન્ન થઈ, અને શુદ્ધચારિત્રપાલન કરવા પિતાની નબલાઈ તેને લાગી. અહિં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. તે એ કેભગવંતના શુદ્ધમાર્ગમાં આ વખતે તેને અશ્રદ્ધા થઈ ન હતી. ફકત પિતે શુદ્ધચાસ્ત્રિાચારનું પાલન કરવાને અશક્ત છે એમ તેના મને જેર કર્યું, અને તેના તાબે થયા, સાધુવેષ છે ગૃહસંસારમાં For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy