SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૧ ર૭ ભવ. 5 ધર્મદાસગણિ. વિજયાને મૃત બાલક આવ્યાનું જણાવી, તે પુત્રને મેળવવાને તેણે જાળ રચી, અને તેમાં તે ફતેહમંદ થઈ. પૂર્ણ માસે વિજયાએ પુત્રને જન્મ આપે તે સમયે પાપી સૂયાણીએ કોઈ મૃત બાલકને લાવીને તેને બતાવ્યું, અને તેના પુત્રને તે શકય અજયાને સ્વાધીન કર્યો, તેણે એક દાસીને બોલાવીને કહ્યું કે, “આ બાલકને વનને વિષે કોઈ અંધ કુવામાં નાખી આવ.” દાસી તે બાલકને લઈને વનમાં ગઈ, અને તેવા પ્રકારના કુવા સમીપ આવી. બાલકની પુયાઈએ જેર કર્યું. દાસી વિચાર થયો કે, મારા જેવી દુષ્ટ કર્મ કરનારીને ધિક્કાર છે, કે હું આ નિર્દોષ બાલકને ઘાત કરવા તત્પર થઈ છું. આ મોટું પાપ છે. ફક્ત પેટની ખાતર આવું પાપ કર્મ કરીશ, તે મારી ગતિ શી થશે ? નોકરી અંગે આવા પ્રકારના મહાપાપ કરવાની મારી ફરજ નથી. ઈત્યાદિ સારા વિચારો આવવાથી કુવાના કાંઠે ઘાસવાળી જગ્યામાં તે બાલકને મુકી દઈને તે પાછી આવી, અને તેના હુકમ પ્રમાણે નાખી દીધો છે, એવી અજયા રાણીને ખબર આપી. કેટલાક દિવસ પછી રાજાને આ કાવતરાની ખબર થઈ. તેને ઘણું દુઃખ થયું તે વિચારવા લાગ્યું કે, “જેણે મારા પુત્રને મારી નંખાવ્યા, તે દુષ્ટ રાણીને ધિક્કાર છે ! આ સંસાર સ્વરૂપને પણ ધિકાર છે કે, જેની અંદર રાગદ્વેષથી પરાભવ પામેલા પ્રાણી ઓ સ્વાર્થવૃત્તિને વશ થઇને આવાં દુષ્ટ કર્મ આચરે છે. તેથી એવા સંસારમાં રહેવું તેજ અઘટિત છે. આ લક્ષ્મી ચલિત છે, પ્રાણ પણ ચળ છે, આ ગૃહવાસ પણ અસ્થિરને પાપરૂપ છે; તેથી પ્રમાદને છેવને ધર્મને વિશે ઉદ્યમ કો જોઈએ. આ આ પ્રમાણે વૈરાગ્ય પરાયણ થયેલા વિજયસેન રાજાએ, પિતાની પ્રિયા વિજયા તથા સુજયા નામના તેના ભાઈ સહિત, પિતાના કેઈ કુટુંબીને રાજ્ય સોંપીને, વીર ભગવાનની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. રાજાનું નામ ધમદાસ ગણિ અને સુજયનું નામ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy