SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા. શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ રાજાએ તેને પિતાના વૈરાગ્યભાવમાં કઇ જાણી, તેને દીક્ષા મહત્સવ પિતે કર્યો. ભદ્રામાતાએ પણ છેવટ લાચારીથી પુત્રને રજા આપી તેને પિતે પણ ઉત્સવ કરી, ભગવાનને તેને દીક્ષા આપવા પ્રાર્થના કરી. ભગવાને પિતેજ તેને દીક્ષા આપી. તેજ દિવસે ધન્યમુનિએ ભગવંત પાસે નીચે પ્રમાણે અભિગ્રહ લેવાની આજ્ઞા માગી. ૧ યાજજીવ છઠ તપ કરે. ૨ પારણાના દિવસે આંબીલતપ કરે. તે આયંબીલ પણ ગુહસ્થ ત્યજી દીધેલ અને લક્ષ પદાર્થનું કરવું. જેને કેઇપણ માગણ ઈચછે નહી, એવા પ્રકારને તુચછપદાર્થ ભીક્ષામાં ગ્રહણ કરી પારણું કરવું. પ્રભુ પાસે લીધેલા અભિગ્રહ પ્રમાણે અદીનમનથી તેઓ તપ પારણના દિવસે પહેલી પરશીમાં સ્વાધ્યાય કરી, બીજી પિરશીમાં ધ્યાનાદિક ક્રિયા કરી, ત્રીજી પેરશીમાં પ્રભુની આજ્ઞા મેળવી ભીક્ષા માટે ૨ટન કરી, પોતાના અભિગ્રહનું પાલન થાય તેવા પ્રકારને આહાર તે ગ્રહણ કરતા. એ પ્રમાણે પ રણાના દિવસે ભીક્ષા ૨ટન કરતાં, કેઈ વખત અન મળે, કઈ વખત માત્ર જળ મળે, તે પણ તે ખેદ કરતા નહી. તપ કરતા છતાં પોતે પૂર્ણ સમાધિમાં રહેતા હતા. પારણાના દિવસે ત્રીકરણ યોગને સમાધિ અને સંયમમાં રાખી, આહાર ગ્રહણ કરતા. આહાર ગ્રહણ કરવામાં પણ ઉત્સુકતા કે લોલુપતા કદી થવા દેતા નહા, સર્પ દરમાં પેસે તે વખતે ઘણું શીઘ્રતાથી પેસી જાય છે, તેમ આ ધન્યમુની રસના સ્વાદ શીવાય ફકત નિર્દેાષ આહારને શીવ્રતાથી ગ્રહણ કરતા હતા. - આ પવિત્ર મુનિની ઉત્કૃષ્ટ ભાવનાયુક્ત તપશ્ચર્યાથી તેમનું શરીર કેવું થઈ ગયું છે, તેનું લંબાણ વર્ણન આગમમાં આપેલું છે, જે ખાસ મનન કરવા લાયક છે. તેમાંથી સંક્ષિપ્ત વર્ણન આ સ્થળે આપવું એ અગત્યનું છે, એમ ધારી આપેલું છે. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy