SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ ભવ. ] મહાબળ મુની. ૪૦૯ આ બને મહાપુરૂષના ચરિત્ર ઉપરથી આપણને માલમ પડે છે. ૪ અધ્યયન ૪ થું–કાશ્યપ ગૃહપતીના વર્ણન સંબંધે છે. મકાતી ગ્રહપતિ માફક તેમનું ચરિત્ર છે. ૫ અધ્યયન ૫ મું--કાકંદીનગરીના ક્ષમતનામના ગ્રહ પતીએ પ્રભુની પાસે દીક્ષા લીધેલી છે. તેમને અધિકાર એ અધ્યયનમાં છે. ૬ અધ્યયન ૬ હું--કાકંદીનગરીના ધૃતીધર નામના ગ્રહ પતીએ દીક્ષા લીધેલી છે. તેમનું ચરિત્ર તેમાં છે. ૭ અધ્યયન ૭મું--સાકેતનગરના કૈલાશ હપતી, પ્રભુ પાસે દિક્ષા લઈ, બાર વર્ષને દીક્ષા પર્યાય પાલી, અંતે મોક્ષે ગયા છે. તેમના સંબંધમાં છે. ( ૮ અધ્યયન ૮ મું--સાકેતનગરના હરીચંદન ગૃહપતી, પ્રભુના ઉપદેશથી ચારિત્ર ગ્રહણ કરી, શુદ્ધ રીતે આરાધન કરી, અંતે મોક્ષે ગએલ છે. તેમને અધિકાર આ અધ્યયનમાં છે. ૯ અધ્યયન ૯ મું -રાજગૃહનગરના બારત નામના ગ્રુહ પ્રતીએ પ્રભુની પાસે દીક્ષા લીધેલી છે. બાર વર્ષ દીક્ષા પર્યાયપાળી અંતે મોક્ષે ગયા છે. અધ્યયન ૧૦ મું–વાણીજ્ય ગામના સુદર્શન શેઠ ભગવંતની પાસે દીક્ષા લઈ, પાંચ વર્ષનું ચારિત્ર પાળી, મહાબળયુનિ. મેક્ષે ગએલા તેને અધિકાર આ અધ્યય નમાં છે. ઉપદેશપ્રાસાદ ભાષાન્તર ભાગ ૧ ના પૃષ્ઠ ૧૩ ઉપર સમકિતના ઉપર મહાબલ રાજાનું દ્રષ્ટાંત છે. તેરમાં તીર્થકર શ્રી વિમળનાથ સ્વામીના શાસનમાં થએલા ધર્મઘોષ નામના આચાર્ય પાસે, હસ્તિનાપુર નગરના રાજાના મહાબળરાજ કુમારે દીક્ષા અંગીકાર કરી, શુદ્ધ ચારિત્ર પાળી, ચૌદ પૂર્વને અભ્યાસ કરી, વિવિધ પ્રકારની તપસ્યા કરી, અને બાર વર્ષ સુધી અખલિત ચારિત્રનું પાલન કરી, સર્વ પાપની 2. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy