SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ભવ. ] રાહિણેયના ભગવંતને વિજ્ઞપ્તિ. ૪૦૧ સુકૃત કરેલાં છે.” પછી પેલે દંડધારી બોલ્યા કે, હવે જે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહે, તેણે ઉત્તર આપે કે, “સાધુના સંસર્ગથી મેં કાંઈપણ હુકૃત્ય કર્યું જ નથી.” . પ્રતિહારી –એક સરખા સ્વભાવથી આખે જન્મ વ્યતિત થતું નથી. તેથી જે કાંઈ ચેરી, જારી વિગેરે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહે. રહિણેય-જે એવા દુષ્કૃત્ય કર્યા હોય તે શું સ્વર્ગલોકને પામે ? શું આંધળો માણસ પર્વત ઉપર ચઢી શકે? પ્રતિહારીએ આ બધી હકીકત અભયકુમારને જણાવી. અભયકુમારે શ્રેણિક મહારાજને જણાવ્યું. મહારાજાએ ફરમાવ્યું કે, આવા ઉપાયોથી પણ જે ચેર તરીકે પકડી ન શકાય, તેવા ચેપને પણ છે મુક જોઈએ; કારણકે નીતિનું ઉલ્લંઘન કરવું ગ્ય નથી.” રાજાના ફરમાનને માન આપી ચારને અભય કુમારે છેડી મુકા. - ત્યાંથી છુટયા પછી તે ચેરના વિવેક રૂપી નેત્ર ખુલ્લાં થયાં, અંતરમાં જ્ઞાન દીપક પ્રગટ થયે, અને અજ્ઞાન અંધકારને નાશ થયે. તેને વિચાર આવ્યું કે “મારા પિતાની આજ્ઞાને ધિકકાર છે. જે ભગવંતનું વચન અનેચ્છાએ મહારા કાને પડયું ન હતું, તે અત્યારે હું વિવિધ પ્રકારની વ્યથા ભોગવી યમરાજના દ્વારે પહોંચી ગયા હતા. ભગવંતનું વચન મને તે રોગીને ઔષધની જેમ જીવન રૂપ નીવડયું. મને પણ ધિકકાર છે ! જેના ઉપદેશના એક લેશે આટલું ફળ આપ્યું, તો જે તેમને સર્વ ઉપદેશ સાંભળે હેય તે શું ફળ ન આપત” મનમાં આવા વિચાર કરીને તે તૂર્ત જ ભગવંતની પાસે ગયે. પ્રભુના ચરણમાં પ્રણામ કરી પ્રભુની સ્તુતિ કરી અને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે ત્રણ જગતના ગુરૂ! અનાપ્ત છતાં આપ્તપણને માનતા એવા મારા પિતાના વચનથી હું ઠગા છું. આપનાં વચન જેઓ શ્રદ્ધા પૂર્વક સાંભળે છે, તેઓને ધન્ય છે. હું એ પાપી હતું કે, 61 For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy