SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૯ નીચે સાડાબાર સાડાબાર રોજન એમ પાંચસે ગાઉ સુધીમાં પ્રથમ થયેલા જવરાદિક રોગે નાશ પામે છે, અને નવા રોગો ઉત્પન્ન થતા નથી. ૫ ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી પાંચસે ગાઉ સુધીમાં પ્રાણીઓને પૂર્વભવમાં બાંધેલાં અને જાતિથી ઉત્પન્ન થયેલાં (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી હતાં નથી. ૬ ઉપર કહ્યા પ્રમાણેના પાંચસો ગાઉ સુધીમાં સાત પ્રકારની ઇતિઓ તથા ઘાસ વિ. નાશ કરનારા તીડે, સુડા અને ઉંદર વિગેરે ઉત્પન્ન થતા નથી. ૭ ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી), દુષ્ટ દેવતાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ ), અને અકાલ મૃત્યુ થતાં નથી. ૮ તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતો નથી, કે જેથી ધાન્ય માત્ર કેહવાઈ જાય. ૯ તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ-સર્વથા જળને અભાવ તે નથી, કે જેથી ધાન્યાદિકની ઉત્પત્તિજ ન થાય. ૧૦ તેટલા પ્રદેશમાં દુર્ભિક્ષ–દુકાળ પડતું નથી. ૧૧ પિતાના રાજ્યના લશ્કરને ભય ( હુલડ વિગેરે) તથા પરચક્ર એટલે બીજા રાજ્ય સાથે સંગ્રામાદિક થવાને ભય ઉત્પન્ન થતું નથી. દેવતાઓએ કરેલા ગણીશ અતિશય નીચે પ્રમાણે હેય છે. ૧ પ્રભુ જે સ્થળે વિચરે ત્યાં આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક્ર ફરે ( આગળ ચાલે). ૨ આકાશમાં વેત ચામરે બન્ને બાજુ ચાલે. ૩ આકાશમાં નિર્મળ રફટિક મણિનું રચેલું પાપીઠ સહિત સિંહાસન ચાલે, ૧ એક જનના ચાર ગાઉ. એટલે ચાર ગાઉન એક એજન. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy