SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ ભવ. ] તપને ખુલાસે. ૨૭૧ આ શંકા આકાલ આશ્રિત અને હાલના વખતના શરીરની રચના જોતાં ઉન્ન થાય એ સ્વાભાવિક છે. પણ ભગવતે જે તપસ્યા કરી તેમાં અસંભવિત પણું કે અતિશયેકિત પણું લેશ માત્ર નથી. કારણું, (૧) તીર્થકર તથા ચરમ શરીરિ જીના શરીરની રચના અદ્વિતિય પ્રકારની હોય છે. જેને જૈન શાસ્ત્રોકત ભાષામાં “વા. રાષભ નારાજી સંઘચણ” ૧ એવું નામ આપેલું છે. તે સંબંધે પૂર્વે હકિકત આપવામાં આવેલી છે એ શરીરવાળાને ગમે તે જાતનું ગમે તેવું કષ્ટ પડે તે પણ તે સહન કરવાની, અને મનને રિથર રાખવાની શક્તિ, ઘણી ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. (૨) તીથકરે જન્મથી જ અવધિજ્ઞાની હોય છે. પૂર્વના ભવનું તેઓને જ્ઞાન હોય છે. દેવતાને ભવમાં અતિ સુંદર આહાર કરેલા હોય છે, તેથી હવે તેના કરતાં વિશેષ પ્રકારના કે તેવા પ્રકારના આહાર કરવાની તેમના મનમાં જીજ્ઞાસા હેતી નથી. તેમજ નારકી અને તીય“ચના ભવમાં પરવશપણે આહાર વિના જ દુઃખ ભોગવે છે તેનું તેમને જ્ઞાન હોય છે. તેમના પરવશપણાના ક્ષુધા-તૃષાના કષ્ટ આગળ આ સ્વેચ્છા પૂર્વક કરેલા તપનું કષ્ટ તેમને ઘણુ અ૫ લાગે છે. (૩) આહાર કર એ આત્માને શવાભાવિક ગુણ નથી. તેને તે અનાહારિ પણાનો સ્વભાવ છે. આહાર તે કેવલ શરીર (પુદ્ગલ) ના પિષણ-ટકાવ માટે કરવાનો હોય છે. તીર્થ. કરે જન્મથી જ પુદ્ગલાનંદી નહિ, પણ આત્માનંદી હોય છે, તેથી તેઓ ફકત શરીરને આયુષ્ય કાલ સુધી નભાવવાની ખાતરજ આ સતિ રહિતપણે આહાર કરે છે. (૪) તપ કરે એ એક પ્રકારને બાહા તપ છેઆત્માને જે પૂર્વનાં કામ લાગેલાં છે, તે જલદી જોગવી લેવાને ઉપાય નિજરાતત્વનું આલંબન કરવું તે છે. નિરા તત્ત્વનું સ્વરૂપ જ એવા પ્રકારનું છે કે, તે આત્માને લાગેલાં કર્મ વિપાકેદય શીવાય આત્મ પ્રદેશોથી છુટા પાડી નાખે છે, કે જેના લીધે તેના અશુભ વિપાક જીવને ભેગવવા પડતા નથી. ફકત જે મહા ૧ જુઓ. પાન ૧પલ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy