SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૩ ર૭ ભવ. ). વિઘુકુમારના ઇંદ્રનું આગમન. સ્વામીથી વિયેગ પામેલી તે સંગમની સ્ત્રીઓએ ઈદ્ર મહારાજ પાસે જઈ દીનતાથી વિજ્ઞપ્તિ કરીકે, “હે મહારાજ ! જે આપ આજ્ઞા આપો તે અમે અમારા સ્વામિની પાસે જઈએ. દીન મુખવાળી તે દેવાંગનાઓની આજીજી ભરેલી માગણી મંજુર કરી તેની પાસે જવા તેમને પરવાનગી આપી. પણ તેના બીજા પરિવારને જ તે અટકાવ્યું, અને તેમને તેની પાસે જવાની પરવાનગી આપી નહી. પોતાની શક્તિ અને સામાના બળને વિચાર કર્યા વગર બલીષ્ટની સાથે વિરોધ કરનાર આખરે નાશ પામે છે. ” એ ન્યાયે સંગમે પ્રભુના બળ, પરાક્રમ, વૈર્યતાધિ ગુણેથી વાકેફ થયા સીવાય મદાંધ થઈ તેમને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી, તેમાં તેને પિતાને ગુમાવવાને પ્રસંગ આવ્યો. કયાં દેવલોકને વૈભવ અને કયાં મેરૂ ગિરિની ચૂલિકા ઉપર બાકીનું જીવન પુરૂ કરવું ! આ પણ એક જાતની દેશપારની શિક્ષાજ છે. ખરાબનું પરિણામ આખરે ખરાબ જ આવવાનું એ નિસંશય છે. છમાસી તપનું પારણું કરવાને માટે ગોકુળ ગામમાં ફરી ગોચરી લેવા પધાર્યા ત્યાં એક વત્સ પાલિકા છમાસી તપનું નામની ગોપીએ ભક્તિ પૂર્વક પ્રભુને કલપે પારણું તેવા પરમ અન્નથી પ્રતિલાભિત કર્યા, ચિર કાળે પ્રભુનું પારણું થવાથી સમિપ રહેલા એ હર્ષ પામી તલાં પંચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી પ્રભુ આલલિકા નામની નગરીએ ગયા. ત્યાં પ્રતિમા ધરી કાત્સગ ધ્યાને પ્રભુ રહયા. ત્યાં વિધુત્કમારના છે. હરિ નામના વિદ્યુકુમારના ઈંદ્ર પ્રભુ કોનું વદન કરવા પાસે આવી, પ્રદક્ષિણા કરીને પ્રભુની સ્તુતિ આવવું. કરી કે, “હે નાથ ! આપે જે ઉપસર્ગો સ હન કર્યા છે, તે સાંભળવાથી પણ અમારા જેવાના હૃદય વિદીર્ણ થઇ જાય છે, છતાં આપ નિશ્ચલ રહયા છે, For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy