SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૧૭ અને ભવસ્થીતિને ભાવતા, તેઓ અને સમાધીથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવ૫ણે ઉત્પન્ન થયા હતા. તે સંબલે અને કંબલે અવધિજ્ઞાનથી જોયું. તે નદી ઉતરતાં પ્રભુના ઉપર ઉપસર્ગ કરતાં તેમણે સુદષ્ટ નામના નાગ કુમારને છે. ભગવંત ઉપરના ભકિતરાગથી તેમના ઉપર થતું ઉપદ્રવ અટકાવવા તેઓ ત્યાં આવ્યા. તે બે પૈકી એક જણ તે શુદ્ર સ્વભાવવાળા સુદષ્ટ નાગકુમારની સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને બીજા એ તે નાવને હાથ વતી ગંગાની સામી તીરે નિર્ભય સ્થળમાં મુકી દીધી. સુદષ્ટ નાગકુમાર મોટી અદ્ધિવાલે હતું, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું; અને આ બને દેવે નવીન ઉત્પન્ન થએલ હતા, તેથી તેમણે તેને જીતી લીધું. પછી તે ત્યાંથી નાસી ગયે. સંબલ અને કંબલ દેએ પ્રભુની પાસે આવીને, નમીને હર્ષથી પ્રભુના ઉપર પુષ અને સુગંધી જળની વૃષ્ટિ કરી પિતાના સ્થાને ગયા. આપના મહા પુણ્ય પ્રભાવથી આ મહાન આપત્તિમાંથી અમે બચી ગયા, અને સુખરૂપ નદિ ઉતર્યા એમ હાલમાંના બીજા લોકો બાલતા પ્રભુને નમીને, પોત પિતાના પંથે ચાલી ગયા. પ્રભુ પણ નાવમાંથી ઉતરીને વિધિપૂર્વક ઈર્યા પથિકી પ્રતિકમીને ત્યાંથી બીજી તરફ વિહાર કરવા લાગ્યા. - વિહાર કરતા કરતા પ્રભુ રાજગૃહ નગરે આવ્યા. તે નગ રની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિ બીજું ચોમાસું ભાગમાં કઈ વણકરની વિશાળ શાળામાં પધાર્યા. ત્યાં વષકાળ નિગમન કરવા માટે તે સ્થળે રહેવાની વણકરની પાસે યાચના કરી અને તેની રજાથી માસક્ષમણ તપના અભિગ્રહથી તે શાળામાં કાર્યોત્સર્ગમાં રહ્યા. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy