SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૧૬ થાકીને તે પાછો તે સ્થળે આવ્યું, ત્યારે બળદોને પ્રભુની પાસે બેઠેલા જોયા. તે ક્ષુદ્ર મતિવાળા ગોવાળને વિચાર કર્યો કે, આ યેગીને બળદ ચરવા ગયાની વાતની ખબર છતાં મને તે વખતે તેમણે ખબર કહી નહીં, અને મારે આખી રાત વનમાં ભમવું પડયું ! ખરેખર મને જ એણે ભમાવ્યું. આ વિચારથી તેને ક્રોધ ચઢયે, અને પોતાની પાસે બળદોની રાસ હતી તેથી પ્રભુને મારવાને તેમના તરફ દેડ. દીક્ષા મહોત્સવમાંથી શકેંદ્ર પોતાના સ્થાને ગયા પછી, પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે? તે જાણવાની ઈચ્છાથી, અવધિજ્ઞાનને ઉપગ મુકી જોયું તે આ બનાવ બનતે તેમણે જે. ગોવા ળને સ્થભિત કરી, તે જ વખતે તેઓ પ્રભુ પાસે આવ્યા. અને પ્રભુને ઉપસર્ગ કરતે અટકાવી, તેને ત્યાંથી વિદાય કર્યો. તે પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેઈ મસ્તક નમાવી, બે હાથ જોડ, વિનંતિ કરી કે, આપને બાર વર્ષ સુધી ઘણું ઉપસી થવાના છે; માટે તેનો નિષેધ કરવા સારૂ સેવક તરીકે આપની સેવા કરવા સાથે રહેવાની મારી ભાવના છે, તે તે વિનંતી આપ સ્વીકારશે. કાર્યોત્સર્ગ પારીને પ્રભુએ ઊત્તર આપે કે “હે દે! તીર્થકરો કદી પણ અંતરંગ શત્રુઓને જીતવામાં તથા કોને નાશ કરવામાં પરની સહાયની અપેક્ષા રાખતા નથી વળી કઈ પણ તીર્થકરે બીજાના આશ્રય-સહાયથી કેવળજ્ઞાનાદિ અખંડ આત્મિકલક્ષ્મી પ્રાપ્ત કરી નથી, કરતા નથી, અને કરશે પણ નહીં, તે કેવળ પિતાના વીર્યબલ, પરાક્રમ અને પુરૂષાર્થથી કેવળજ્ઞાનાદિ આત્મિક =દ્ધિ પ્રગટ કરી મોક્ષરૂપી સ્વરાજ્ય પ્રાપ્ત કરે છે.” પ્રભુને આવા સ્વાત્માલંબન ભાવને પ્રકટ કરનાર ઉત્તર સાંભળીને શકેંદ્રને પ્રભુના ઉપર બહુજ ભકિત રાગ થયે; અને તીર્થકરેને સ્વાશ્રય ગુણની અનુમોદના કરવા લાગ્યા. પ્રભુને For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy