________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
ન કર,
થઇ
મ
ન
૧૮૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૪ વરઘોડે નિયત સ્થાને આવ્યું, ત્યાં અશોક વૃક્ષના નીચે શિબિકા ઉતારી, અને પ્રભુ તેમાંથી ઉતર્યા.
આ વખતે પ્રભુના દર્શન કરવા માટે જન સમુદાયની એટલી બધી મેદની થઈ હતી કે, રસ્તામાં ઉભા રહેવાને પણ જગ્યા મળતી ન હતી. - દીક્ષા મહોત્સવના વઘેડામાં પ્રભુના મુખ આગળ પ્રધાનદેવતા, નંદીવર્ધન રાજા, તથા ઘણુ મનુષ્ય પ્રભુની સ્તુતિ કરતા ચાલે છે. વરઘોડાની આગળ હજાર પતાકા વાળે ઈદ્રધ્વજ ચાલે છે. પૂર્ણ કલશ, ભંગાર, ચામર, મહેશ્વજ, છત્ર, સપાદપીઠ સુવર્ણ મણિમય સિંહાસન, આઠ માંગલિકાદિક આગળ ચાલે છે. એક આઠ શણગારેલા ઉત્તમ ઘડ, એકસને આઠ ઉત્તમ હાથી, તથા ઘંટા, પતાકા અને વાછત્ર સહિત શ ભરેલા એકને આઠ રથ, બીજા પણ અનેક ઘોડા, હાથી, રથ અને પાલાના કટકા વરઘોડાની આગળ ચાલતા હતા. માંડલીક રાજાઓ, કેડબિક, સેનાપતિ, સાર્થવાહ, શેઠ, શાહુકારો, દેવ, દેવીઓ, ઘણા નરનારી પ્રભુનું મુખ જોતાં હર્ષ પામતાં આગળ ચાલતાં એવી રીતના ઘણા આડં. બર યુક્ત પ્રભુના દીક્ષા કલ્યાણકના વરઘેડાની શોભા હતી, માગશર વદી દશમના દીવસે દીક્ષાને સમય દીવસના ત્રીજે પહેર બેસતાં હતે. દિવસ પણ સુવ્રત નામ હતું.
પ્રભુ જે વખતે પાલખીમાંથી નિચે ઉતર્યા, તે વખતે પ્રભુનું મન દીક્ષા લેવાને માટે અત્યંત ઉલ્લસિત થઈ રહયું હતું. પ્રભુએ તે દિવસે છઠને તપ કરેલ હતું; શુદ્ધ લેપ્યા, શુભ ભાવમાં પ્રભુ વર્તાતા હતા. ચારે તરફ “જય જય નંદા, જય જય ભદ્રા, એટલે હે આનંદ દેનારા, તથા કલ્યાણ કરનારા, પ્રભુ તમે જય પામે છે તમને ભદ્ર થાવ. ” એવા શબ્દોનો ઉચ્ચાર થઈ રહ્યો હતો.
કુટુંબના વીલે પ્રભુને અભિવંદન દેતા કહેવા લાગ્યા કે,
For Private and Personal Use Only