SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ બવ. ] ભેગાવલી કર્મને ઉદય. ૧૬૫ પંચેન્દ્રિયના વિષયના ભોગે પગમાં તેઓ વિરક્ત મનવાળા હોય છે, છતાં ભેગક ઉદય આવ્યું છે તે ભગવ્યા શીવાય ક્ષય થવાનું નથી, એમ વિચારી લોલુપતા અને તીવ્ર જીજ્ઞાસા શીવાય તેમાં ઉદાસીન ભાવથી પ્રવૃત્તિ કરે છે. તેઓ ગર્ભમાંથીજ ત્રણ જ્ઞાન સહિત હેવાથી પિતાને પૂર્વભવમાં દેવગતિમાં દિવ્યાંગ ભેગવેલા તેઓ જાણી શકે છે. દેવકના પુદગલીક વૈભવોના મુકાબલે મનુષ્ય લેકના વૈભવે કંઈજ હિસાબમાં નથી. મનુષ્યલેકમાં સર્વોત્કૃષ્ટ વૈભવ અને ભેગ સામગ્રી ચક્રવર્તીને ત્યાં હેય છે, તેના કરતાં અસંખ્ય ઘણું રિદ્ધિ દેવલોકના સામાન્ય દેવને હેય છે, તો પછી મહલિંક દેવની ઋદ્ધિનું તે પુછવું જ શું ? એવા મહદ્ધિક માં ઉત્પન્ન થઈ ત્યાં અનંત ઉત્કૃષ્ટ પુદ્ગલીક સુખ ભોગવી, આ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થનાર તીર્થકરના જીવ, જેઓ જ્ઞાનબલે તે સર્વ ભાવ જાણું અને જોઈ શકે છે, તેમને આ લેકના વિષયે તુચ્છ લાગે એમાં નવાઈ નથી. તે કારણથી તે ભેગ ભેગવવામાં તેઓ લેલુપ્ત ભાવને ધારણ કરે નહી એ સહજ છે. બીજું પણ કારણ એ છે કે તીર્થકરના જીવ સંપૂર્ણ મતિ અને શ્રુતજ્ઞાનવાલા હોય છે. તેમના વેગે વસ્તુ અને પદાર્થના સ્વભાવ યાને ધર્મ જાણે છે. પંચેંદ્રિયના વિષયે એ પુદ્ગલને પિષનારા છે, તેમાં કંઈ આત્મધર્મ રહેલું નથી. આસકિતથી ભોગ ભેગવવાથી નવીન કર્મ બંધ પડે છે અને ભેગકર્મ ફળ જાણે આસકિત રહિત તેને ઉપભેગ કરવાથી નવીન બંધ પડતું નથી. વર્તમાન ચોવીશીના વીશ તીર્થંકરમાંથી ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લીનાથ, અને બાવીશમા શ્રી નેમનાથ પ્રભુને ભેગાવલી કર્મ બાકી નહી હોવાથી તેઓએ કુમારાવસ્થામાં જ દિક્ષા લીધેલી હતી, અને લગ્ન કરેલ નહતાં. બાકીના બાવીસ તીર્થકરેએ ભેગાવલીકર્મ સત્તામાં હોવાથી લગ્ન કરેલ છે. સલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ, સત્તરમા શ્રી કુંથુનાથ, અને અઢારમા શ્રી અરનાથ આ ત્રણ તીર્થકર તે ચક્રવતી પણ હતા. તેથી ચક્રવર્તીને લાયકની તમામ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy