SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર વિષે, સુએ-સૂત્ર સિદ્ધાંતને વિષે. સામાઈએ-સમતારૂપ સામાયિકને વિષે તિણહ-ત્રણ પ્રકારની. ગુત્તિણું-ગુપ્તિ –મન, વચન અને કાયા એ ત્રને. ચઉદ્ધચાર પ્રકારનાં કસાયણુંકષાય એટલે કેધ, માન, માયા ને લેભ. પંચ-પાંચ પ્રકારના. મથુરવયાણું-આણુવ્રત (પહેલેથી પાંચ વ્રત) તિરં–ત્રણ પ્રકારનાં. ગુણવયાણુ-ગુણવ્રત (તે છઠું, સાતમું અને આઠમું વ્રત( ચણિતં-ચાર પ્રકારનાં. સિખાવયાણું-શિક્ષાવ્રત (તે નવ, દસ, અગિયારને બારમું વ્રત) બારસવિહસ-એ કહ્યા તે) બાર પ્રકારનાં. સાવર-શ્રાવકના. ધમ્મસ્સ-ધર્મને વિષે. જ-જે કાંઈ ખંડિયં-ખંડિત કર્યું હોય. જે-જે કાંઈ વિરાહિયં-વિયું હોય. તસ્સતેનું મિચ્છા મિ દુક્કડ–દુષ્કત, પાપ નિષ્ફળ થાઓ. - સ્તુતિ-પ્રથમ મારા આત્મા અનાદિકાળને મમતાપણે પરિણમે છે તેને સમતાપણે પરિણમવાને વાતે સાવજ જેગની બંધી કરવી. સમભાવને લાભ તે સાભાયિક કહીએ. પ્રથમ સામાયિક આવશ્યક તે સમતા પરિણામ રાખવા માટે નિપજાવ. તસ્સઉત્તરીકરણથી ઠેઠ અખાણું સિરામી સુધી કહીને તે પછી સ્થિર રહી કાઉસગ કરશે. તેમાં નવાણું અતિચાર જે દરેક વ્રત વગેરેને અંતે કહેવાશે તે અથવા ચાર લેગસસ મનમાં બોલવા અને એક નવકાર ગણી કાઉસગ પા. બીજો આવશ્યક સ્તુતિ-જે સમતાપણે પરિણમ્યા, મમતા પરિહય, ચંદ રાજકને મરતકે સિદ્ધિ વર્યા, સંસાર સમુદ્ર નિસ્તથ, સર્વ ઉપમા અલંકૃત સર્વ અધમળહર, એવા એવીશ તીર્થકર જન્મ, જશ મણને પરિક્ષણ કરી, આત્મગુણ, આત્મપણે પરિણમ્યા, સાદિ અનંત ભાગે સિદ્ધ થયા, વરૂપ રમણરૂપ અનુભવ સ્થિર રહ્યા, અને મહારે સમતાપણે પ્રગટ થવા, મમતા પરિહરવાને અવસરે, સ્મરણ, ચિંતન, મનન, ધ્યાનરૂપે સહાય હે, એવા વીશ તીર્થકરની સ્તુતિરૂપ બીજો ચઉવીસથે આવશ્યક લેગસને પાઠ કહેવ) ત્રીજે આવશ્યક સ્તુતિ-હવે એવા વીરા તીર્થકર જેણે ઓળખાગ્યા, તેવા મારા ધર્મગુરુ, ધમાંચાર્ય, મહાઉપકારી, જ્ઞાનચનના દાતાર, અજ્ઞાનતિમિરના ફેડણહાર, મિથ્યાત્વ કલંકના મિટાવણહાર. ભવદાવાનળ શમાવવાને અર્થે અમૃતધારા વાણી વરસાવતા મુજ અપરાધીને ન્યાય કરવા, માળથી ભૂલ્યાને માર્ગે ચડાવ્ય, (પછી ભાગ્યની વાત) એવા ધર્મગુરુ, ધમાચાર્ય, ધર્મોપદેશક, ધમાત્મા, છ કાયના ગોવાળ, અધમ ઉદ્ધારણ, ભવદુઃખભંજન લોચનદાતાશ, નિર્લોભી નિલલચી, સમતાવંત, દૌર્યવંત, વિવેકી, વિજ્ઞાની, એકાંત ઉપકાર નિમિતે મહેરબાની કરી સાચા મિત્રપણે હાથ દઈ, મુજ કિંકર અપરાધી, ગુણરહિત કરૂણાબુદ્ધિએ ન્યાયમાર્ગ દેખાડી સાચા દેવાધિદેવને ઓળખાવ્યા.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy