SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સાધુ યોગ્ય ગુણ તને જે જે લાગે તે ગ્રહણ કર. અસાધુ યોગ્ય અવગુણ તને જે જે લાગે તે છેાડી દે. શેઠની સલાહ ‘પણ ઝાંપા સુધી સ્વીકારવાની. પછી ખુદે વિચારવાનું. મહાઔષધિ તુલ્ય જ્ઞાન આપશે — પણ જો તને જ્ઞાનથી પણ અભિમાન આવતું હોય તેા છેડ. અને ભલે જેને દુનિયા કામ કહે છે, તે કરતાં તને એમ લાગતુ હાય કે હું તરી. રહ્યો છું તે તું ભકિત સ્વીકાર... ગુરુ તે અજ્ઞાનનાશક ધામ ધખતા તડકામાં ઔચરી જતાં વિચાર આવે. શાલિભદ્રજીએ તખ્તશિલાપર અણસણ કરેલ. હું કયાં તેવું અણુસણ કરવાને સૌભાગી? પણ તેના ભાવના સ્પશ થાય તે માટે આનંદથી ગોચરી જાઉં અને પરિષહની માજ ઉડાઉ ! જ્યાતિપ વગેરે રહસ્યમય શાસ્ત્રો પચાવી શકે તે જ સ્વીકાર અને તેના રહસ્ય ન પચાવી શકે. આગાહી કરવાનુ દિલ થાય, ભકતોનું ટોળું ભેગું કરવાનું મન થાય, તે એ શાસ્ત્રો તારા માટે પાપશાસ્ત્ર સમજી દુરથી નવગજના નમસ્કાર કરી દેજે. પ્રભુ શાસનના તપત્યાગ દ્વારા તારા આત્મામાં અપૂર્વ લબ્ધિ – અચિંત્ય શકિત પેદા થશે, પણ દિલના એક ખૂણામાંથી પણ જવાબ આવે મારામાં સ્વા છે. વાહવાહની ભાવના છે. ક્રોધ પર કાબૂ નથી આવ્યો તે શાસનદેવ પાસે શાપ અને વરદાન સાથે જ માંગજે. શાસનદેવ, તમે પ્રસન્ન હેા તે મારા વચનમાં નિષ્ફળતા આપેા. તમે પ્રસન્ન બને અને આંતરિક આરાધનાનું વરદાન આપે।. પ્રભુના ત્યાગધર્મ, તેની વ્યવસ્થા, તેના નીતિનિયમા કોઈ અલગ છે. રાજા મહારાજા ચક્રવર્તીને જે માન – સન્માન ન મળે તે તને મળશે, પણ જો વિચાર આવે તો મને નમે છે, મને પૂજે છે. મારા કેટકેટલાં સન્માન થઈ રહ્યાં છે. આ વિચાર આવે તે પહેલાં પવિત્ર
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy