SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭. પ્રશંસા કરે છે. તે શાન્તનું વિહારના ભવ્ય મહાલયને પાનથી અટારી સુધી જોઈને પણ મહાન સૂરીશ્વર તથા તેમના ત્યાગો શિષ્ય મૌન છે. મંત્રીશ્વર શાન્તનુને આ મૌન વસમું લાગ્યું. ગુરૂચરણે હાથ જોડીને કરગરે છે. ગુરૂદેવ ! કંઈક તે પ્રકાશો! - આચાર્ય ભગવંત ગંભીરતાના સાગર છે. તેમને તો મૌન દ્રારા જ જે કહેવાનું છે તે કહી દીધું છે પણ. દુનિયાના બીન અનુભવી શાસ્ત્રમાં જ ડૂબેલા બાલમુનિથી ના રહેવાયુ. મંત્રીશ્વર ! અઢાર પાપસ્થાનકના નવ કોટિ પચ્ચકખાણ કરનાર ત્યાગી મહાત્મા આાવસ્થાનની અનુમોદના કરશે તે પૃથ્વી રસાતળમાં જશે ! સમુદ્ર મર્યાદા મૂકશે ! ત્યાગીની પાસે પ્રશંસા કરાવવી હોય તો પાપની વૃદ્ધિ કરનાર આશ્રવના સ્થાનને સવરના સ્થાનમાં. કર્મનિર્જરાના સ્થાનમાં ફેરવી દો. મારામાંથી સૌનું બનાવી દો. રવમાંથી સર્વનું બનાવી દો. ગુરૂદેવ! ગુરુદેવ! મારી ભૂલ માફ કરો. પ્રશંસાના નશાએ મને ભાન ભૂલાવ્યો. આપના પાવન પગલે હવે ‘શાતનુ વિહાર” સમસ્ત પાટણવાસીઓ માટે પૌષધશાળા બને છે. યાગીના વચનમાં પણ રાગદ્દપને સ્થાન ન હોય તે ત્યાગીના જીવનમાં કેમ હોય? પૂ. ગુરૂદેવ શય્યભવસૂરિ મહારાજ બાલમુનિ મનકને સંયમી જીવનના મર્મ સમજાવે છે. બાલ સાધુ! મુધાજીવી બનજે ! સાધુને મન જીવન એ પણ આયુષ્યકર્મની સજા છે. સાધુને મન મરણ એ પણ મેક્ષની મઝા છે. જીવન એટલે દેવું ચૂકવવાનું છે. =
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy