SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા | ૨૧ અગ્નિને કણ એ ક્યારે પણ ઉપેક્ષાને પાત્ર નહિ. અગ્નિ વૃદ્ધિ પામે તે એક દિવસ સવનાશ થાય તેમ વિષયની વૃદ્ધિ ક્યારે અને ઉપેક્ષાને પાત્ર નહિ તે પછી વિષયની લાલસા અગે પૂછવાનું જ શું ? વિષયની લાલસા સંચમીના તપધન–ત્યાગધન–આરાધના ધન, સવિચાર ધનને સર્વનાશ કરીને જ રહે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું ચિત્તસંભૂઈ જજ” અધ્યયન કયારે પણ વિસ્મરણ ના કરતે. મહામુનિ સંભૂતિ અણુસણ સ્વીકારી આરાધનામાં લયલીન બન્યા છે. દેહમાં પણ અદેહી ભાવના ભાવી રહ્યા છે. સારું યે નગર ચક્રવતીનું અંતઃપુર મુનિના સંયમ ધર્મની અનુમોદના કરી રહ્યું છે. સ્ત્રીરતન સાથે અંતઃપુરની અનેક રાણીઓ મુનિના દર્શન કરવા આવે છે. ધન્ય ધન્ય તપસ્વી બેલતાં મુનિના ચરણમાં દૂરથી વંદના કરે છે. પણ સ્ત્રીરત્નના શ્યામ-કમળ અને દીર્ઘ કેશપાસને મુનિના ચરણે સ્પર્શ થઈ જાય છે. વાળને સ્પર્શ થયો અરે મહાન આત્મા બાલ જેવા બની ગયા. કેટલો સુંદર સ્પર્શ ? કે મૃદુ સ્પર્શ? કેટલે રોમાંચક સ્પશ? આમ ફરી ફરી એ વાળનું–કેશનું ટર્ણ કરવા લાગી ગયા. જે યુવતીના વાળ આટલા સુકમળ છે તે તે યુવતીના અંગ કેટલા સુકેમી હશે ? આવી કેમલગી મારી પાસે નહિ? મને ના મળે? હું કેમલાંગીનો ચાહક ના સ્પર્શના લાલચું. લાલચ પેદા થઈ એટલે પિતાની પાસે રહેલી ચીજના લેખા-જોખા થવા લાગ્યા. મુનિ અણસણ ભૂલ્યા આરાધના ભૂલ્યા અને છેવટે આરાધનાને દાવ લગાવી તેમણે તીવ્ર સંકલ્પ કર્યો. મારા આ દીર્ઘ ચારિત્રનું જે કઈ ફળ હેય. મારા ભયકર તપ-ત્યાગ અને જે કઈ આરાધનાનું ફળ હોય, તે બીજા જન્મમાં મને આવી જ કેમલાંગી સ્ત્રીરત્ન પ્રાપ્ત થાવ. વર્ષોની સાધના–સંયમ
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy