SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર | સાધુ પ્રસન્નતાને સાગર યાદ રાખ વિચાર કરકાદંબરી અટવીમાં કાઉસગ્ન ધ્યાને રહેલા પાશ્વ પ્રભુ કમઠને શુ નુક્શાન કરતા હતા? કમઠ મેઘમાળી થયો પણ પ્રભુ પ્રત્યેનું વૈર ના ભૂલ્ય...પ્રભુ ઉપર ધૂળની વૃષ્ટિ કરી. જલની વૃષ્ટિ કરી. મેઘમાળીને શું લાભ? કશું નહિ, પરમાત્માને ઉપસર્ગ કર્યાનું પાપ. છતાં ય આત્માની કલુષિત વૃત્તિ દૂર થઈ? આમ, વેરભાવથી ગુસ્સે જાગે છે. તે અભિમાનથી મત્સર–ઈર્ષ્યા પેદા થાય છે. એટલે હું તને કહું છું “વેરે વરએ પણ, આ કષાયની જાત જ ખૂબ ભયકર છે. પછી એ એકલા ક્રોધ-માન-માયા કે લેભનું રૂપ લઈને ન આવે. પણ એક આવે તે ચારના અડ્ડા લાગી જાય. શાસ્ત્રનું વાકય છે “જાગર વેરોવરએ.” “જાગ અને વેરથી વિરમી જા” “ઉપરત થા.” તારી પાસે કષાયના કેઈ સ્વરૂપને ન આવવા દેતે. તારી સાધનાના મંદિર માટે આ ચારે જવાળામુખી છે. જવાળામુખી ફાટે અને ધરતીકંપ થાય, તેમ “કષાયનો જવાળામુખી ફેટે તે સાધના મંદિરમાં ધરતીકંપ થાય. જ સાધક ! તને ચેતવું છું, સાવધ કરું છું, ઉઠાડું છું. ફરી ફરી એક જ વાત, જાગ અને ભાગ. વિષય-કષાયથી જાગ, વિષયકષાયથી ભાગ. ગુરુદેવ! આપના ઉપદેશે જાગ્યે તે છું, પણ ભાગવાનું બળ આપો. દોટ મૂકું છું ક્ષમાના રાજમહેલમાં પ્રવેશ કરવા. મારું હૈય ના ખૂટે, મારૂં પ્રેરક બળ ના તૂટે અને સમાના દ્વારે પહોંચી જાઉં–તેવી મારા માટે મંગળ કામના કરજે. મારી વિનંતિને હકરાવે એ કેમ ચાલે? મારી માંગણી ન સ્વીકારે તે ચાલે? પણ શુ મારી આજીજીને ઠુકરાવશો? કરગરું છું – મને ક્ષમાના દ્વારે પહોંચાડે. આપની રક્ષા મારો પ્રયન, ક્ષમાની સિદ્ધિ, એજ મારું જીવનવ્રત. બસ,
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy