SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતા ચિત્ત, વાણી અને શરીરના આ ચેગ સૂ શ્રમ અને સ્થૂ લા (અથવા બાદર) એમ બે પ્રકારના હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી છૂ લ કે સૂ કમ પ્રવૃત્તિ છે, એટલે કે સ્થૂ લ કે સૂક્ષ્મ રોગ છે. જ્યાં સુધી રોગ છે ત્યાં સુધી શરીરમાં રહેલા આત્મપ્રદેશે કંપાયમાન રહ્યા કરે છે. જ્યાં સુધી આત્મપ્રદેશે કંપાયમાન રહે છે ત્યાં સુધી કર્મબંધન રહ્યા કરે છે. નવું અઘાતી કર્મ બંધાય નહિ તે માટે આત્મપ્રદેશોને શૈલેશની જેમ, મેરુ પર્વતની જેમ સ્થિર અચલ કરવા જોઈએ. એ માટે મન, વચન અને કાયાના ગિને નિરોધ કરવું જોઈએ. કેવળી ભગવંતો જીવનની અંતિમ ક્ષણે બધા રોગોને નિરોધ કરી, શૈલેશીકરણની ક્રિયા કરી, લેક્ષારહિત બની, દેહ છોડી, જન્મ-મરણના -પરિભ્રમણમાંથી મુક્ત બની, મેક્ષગતિ પામે છે. એમને દેહરહિત શુદ્ધાત્મા સિદ્ધશિલાના ઉપરના ભાગમાં હંમેશને માટે, અનંતકાળ માટે બિરાજમાન થાય છે. આમ સમૃદુઘાત અને શૈલેશીકરણ એ બે સૂ ક્ષમ પ્રક્રિયા છે. સામાન્ય માણસને તરત રસ કે સમજ ન પડે એવી એ ગહન વાત છે. આવું બધું ખરેખર હશે કે કેમ એવી શંકા પણ કેટલાકને થાય. તત્ત્વની જેમને રુચિ હોય અને સમ્યફ શ્રદ્ધા હોય તેમને આવી સૂ ક્ષમ -એગપ્રક્રિયામાં જરૂર રસ પડે. જેને રસ પડે તેને આપણા તત્વજ્ઞાનમાં આવતી આવી ગહન વાતનું આકલન કરતાં વિસ્મયનો અનુભવ થાય.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy