SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રઘાત અને શૈલેશીકરણ કાન્ત સુધી વિસ્તરે છે. એટલે કબાટ જેવી આકૃતિ હવે પ્રતર અથવા મંથાન એટલે કે રવૈયા જેવી થાય છે, ત્યારપછી ચેથા સમયે, બાકી રહેલા આંતરાઓમાં પિતાના. આમપ્રદેશને ફેલાવીને લોકપૂરની ક્રિયા કરે છે. આ રીતે ચાર સમયમાં કેવળી ભગવંતને આત્મા. ચૌદ રાજલકમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક આકાશપ્રદેશ ઉપર એકેક આમપ્રદેશને ગોઠવી તે. - કામણ વણના વધારાના મુદ્દગલ પરમાણુઓને ખંખેરી નાખે છે. એમ કરવાથી નામ, ગેાત્ર અને વેદનીય, એ ત્રણે ય કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી થઈ " જાય છે. ત્યારપછી કેવળી ભગવંત આત્મપ્રદેશને સંકેચવાની ક્રિયા કરે છે. હવે એને ક્રમ ઊલટે છે. પાંચમા, છા, સાતમા અને આઠમા સમયે અનુકમે લોકપુરણ,. મંથાન, કપાટ અને દંડને તેઓ સંકેલી લે છે. એમનો. આત્મા હવે ફરીથી શરીરપ્રમાણુ થઈ જાય છે. આમ, આંખના પલકારા જેટલા કાળમાં કેવળી. ભગવંતના શરીરમાં રહેલે આત્મા શરીર ઉપરાંત બહાર પ્રસરી, ચૌદ રાજલોકમાં વ્યાપી, ફરી પાછો પિતાના. શરીરમાં આવી જાય છે. જે કેવળજ્ઞાનીઓની અઘાતી કર્મોની. સ્થિતિ એકસરખી હોય તેઓને સમુઘાત કરવાની આવશ્યકતા રહેતી નથી. શેલેશીકરણની ક્રિયા બધા જ કેવળી ભગવંતે કરે છે. રોગનિરોધ દ્વારા શૈલેશીકરણ થાય છે. એગ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે ? મનેયાગ, વચન અને કાયોગ..
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy