SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ . ૪૫ કરુણાની ચરમ કોટિ હત્યા કરવી ત્યાં સુધીનું ક્ષેત્ર હિંસાનું ગણાયું છે. પરિણામે હિંસાની તરતમતા અનંત કોટિની હોઈ શકે. - પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણે છે. એ જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના સ્કૂલમાંથી સૂમ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને - કરુણ માત્ર પોતાનાં કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે સમુદાયનાં મનુષ્યો પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવપ્રેમ જગતના તમામ મન સુધી વિસ્તરે જોઈ એ. પિતાને શ્રેષ કે ધિક્કાર કરનાર મનને પણ જે સાચી. રીતે ચાહી શકે તેની ભાવના તેટલી ઊંચી. કેટલાંક માણસને પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલા પ્રાણીઓ સુધી વિસ્તરે છે. એથી આગળ વધી કેટલાંક માણસો હિંસક કે અહિંસક એવા તમામ પશુપક્ષીઓને ચાહે છે, પણ નાનાં જીવજંતુએને મારવામાં તેમને કશું પાપ જણાતું નથી. તે બીજા કેટલાંક એથી પણ આગળ વધી નાનામાં નાના જીવોની પણ હિંસા ન થાય તેવી રીતે પિતાને જીવનવ્યવહાર ગાઠવે છે.. - - હવા, પાણી, માટી વગેરેમાં રહેલા સૂક્ષ્મ જીવોને. વિચાર કરીએ તો હિંસા વિના એક ક્ષણ પણ જીવન ન. ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું ધ્યેય- સ્વીકારાયું છે. . કેટલાક વિદ્યાથીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભૂલે, તેમ કેટલાંક માણસે અહિંસાની ભાવનામાં નાનામાં નાના છ પ્રતિ પહોંચે છે, પરંતુ મેટા જીવોને ભૂલી
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy