SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાણ ૧૭ - ' આટલે સ્પર્શ થતાં જ સંભૂ તિ મુનિએ રોમાંચ અનુભવ્યું. તેમના મનમાં થયું કે આ સ્ત્રીના વાળને જે આટલો બધો પ્રભાવ હેય તે તે સ્ત્રી પોતે તે કેવી હશે ? આવી કેાઈક સ્ત્રી જન્માક્તરમાં પિતાને ભેગવવા મળે તે કેવું સારું ? પરંતુ એવી રત્ન સમાન સ્ત્રી તો માત્ર ચકવતી રાજાઓને જે મળે. આથી સંભૂ તિ મુનિએ આ. પ્રમાણે નિયાણ બાંધ્યું : “મેં જે કંઈ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તેના ફળરૂપે જન્માન્તરમાં મને ચકવતીપણું પ્રાપ્ત થાઓ.” - આ નિયાણુના પરિણામે પછીના એક જન્મમાં સંભૂતિ મુનિનો જીવ બ્રહ્મદત્ત ચક્રવતી થાય છે અને સ્ત્રીસુખ ભેગવે છે. પરંતુ ચુકવતીના જીવનમાં તે અનેક મેટાં પાપ કરવાના પ્રસંગે આવતા હોય છે. એટલે જ ત્યાગ અને સંયમના માર્ગે ન ગયેલા ચકવતીઓ ભૌતિક સુખ અને સત્તા ભેગવતા ચક્રવતી તરીકે મૃત્યુ પામે તો ભવાન્તરમાં નરકગતિ પામતા હોય છે. તેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવતી પણ નરકગતિ પામે છે. બીજું ઉદાહરણ નંદિષેણ મુનિનું છે. તેઓ પણ નિયાણ બાંધી ભવાન્તરમાં દુર્ગતિ પામે છે. નંદિષેણ મુનિ બીજા સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સુપ્રસિદ્ધ હતા. દેવો એમની કસોટી કરવા આવે છે અને એ કસોટીમાંથી પણ તે પાર પડે છે; પરંતુ એક વખત રૂપવતી રમણીઓને જોતાં યુવતીજનવલલભ થવાનું તેમને મન થાય છે. પરિણામે. જિ.-૨
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy