SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જિનત લલચાય છે. એને પરિણામે ધનસંપત્તિ, ભેગે પગના સાધને, સ્ત્રી-પુત્રાદિક પરિવાર, સત્તા, કીર્તિ વગેરેની અભિલાષા તીવ્ર બનતાં ક્યારેક સભાનપણે, તો ક્યારેક અભાનપણે નિયાણુ બંધાઈ જાય છે. ગૃહસ્થજીવન કરતાં સાધુજીવનમાં નિયાણું બાંધવાને સંભવ વિશેષ છે, કારણ કે સાધુનું સમગ્ર જીવન તપશ્ચર્યારૂપ છે. અલબત્ત અન્ય પક્ષે સાચા સાધુજીવનમાં ગૃહસ્થ. કરતાં ચિત્તની જાગૃતિન કે અપ્રમત્તતાને સંભવ વિશેષ. હોય છે. એટલે એ દૃષ્ટિએ વિચારીએ તો ક્યારેક. સાધુજીવન કરતાં ગૃહસ્થજીવનમાં નિયાણુને સંભવ વિશેષ. હોય છે. નિયણુ બાંધવાની બાબતમાં જૈન આગમગ્રંમાં. સંભૂતિ મુનિ અને નદિષેણ મુનિનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ. છે. સંભૂ તિ મુનિએ ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી, અને તપસ્વી તરીકે તેમનું નામ ચારે બાજુ સુપ્રસિદ્ધ થઈ ગયું હતું. આવા મુનિને વંદન કરવા માટે અનેક લોકે આવવા. લાગ્યા હતા. ખુદ સનતકુમાર ચૂકવતીને પણ આવા મુનિનાં. દર્શન કરવા જવાનું મન થયું. પિતાના પરિવાર સાથે. તેઓ ગયા અને વંદન કરવા લાગ્યા. એ વખતે સનતકુમાર ચક્રવતીંની રાણીઓમાં સર્વશ્રેષ્ઠ રાણું-સ્ત્રીરત્ન જેવી. રાણ સુનંદા જ્યારે વંદન કરતી હતી ત્યારે નીચાં નમતાં. તેના ચોટલાના વાળને અગ્રભાગ સંભૂતિ સુનિને જરાક સ્પશી ગયે.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy